________________
તે પ્રકાશ નો તે પોતે જ અનુભવ કરે છે, પણ બીજા કોઈ ને તે પ્રકાશનો અનુભવ થતો નથી. આ પ્રમાણે તે બ્રહ્મ "જ્ઞાતા" (જ્ઞાન ને જાણનાર) થી રહિત છે.
આમ જે બ્રહ્મ એ તમ થી અને પ્રકાશ થી રહિત છે, તે અવિનાશી પદ છે, અને આકાશની પેઠે નિર્મળ છે, પણ "ભાંતિ" થી તેનામાં સઘળું જગત કલ્પાયેલું છે. માટે તે બ્રહ્મ ને "જીવ-રૂપ,બુદ્ધિ-રૂપ, કે મન-રૂપ" કહી શકાતું નથી. જેમ,જળ ની અંદર તરંગ છે અને માટી ની અંદર ઘડો છે તેમ જેની અંદર જગત છે તે-બ્રહ્મ -શૂન્ય કેવી રીતે હોઈ શકે?
"જેમ,પૃથ્વી ની અંદર રહેલું જળ એ પૃથ્વીરૂપ નથી, તેમ બ્રહ્મ ની અંદર રહેલું જગત બ્રહ્મ-રૂપ ના હોવું જોઈએ" એવી શંકા કરવી જોઈએ નહિ,કારણકેપૃથ્વી-વગેરે "સાકાર પદાર્થો" ની ઉપમા "નિરાકાર બ્રહ્મ" ને લાગુ પડી શકે નહિ. બ્રહ્મ આકાશ ની પેઠે નિર્મળ છે અને તેમાં રહેલું જગત પણ આકાશની પેઠે નિર્મળ જ છે. એટલે કે જેવું બ્રહ્મ છે તેવું જ જગત છે.
જેમ મરીની અંદર રહેલી તીખાશ -તેના ખાનાર વિના અન્યને જાણવામાં આવતી નથીતેમ,બ્રહ્મ નું ચિતૃપ-પણું એ પ્રલય-કાળ માં "જીવ" જો હોય જ નહિ તો તે કેવી રીતે જાણી શકે?
જેમ, પ્રલય-કાળમાં જીવ નું "જીવ-પણું" નિવૃત્ત થાય છે, તેમ,જગત નું "જગત-પણું" પણ નિવૃત્ત થાય છે. એટલે કે-જીવ અને જગત -એ બંને "બ્રહ્મ-રૂપ" જ થઇ જાય છે. અને ત્યારેસઘળા બહારના દેખાવો અને મન ની અંદરના દેખાવો પણ "બ્રહ્મ-રૂપ" થઇ જાય છે,બીજું કશું રહેતું નથી.
"સમાધિ" ના કાળમાં પણ આ પ્રલય ના કાળ ની જેમ સંપૂર્ણ જગત "સુષુપ્ત-રૂપ" થઇ જાય છે.અને "જ્ઞાન-કાળ" માં જગત "તુર્ય-રૂપ" થઇ જાય છે. આમ સમાધિ-કાળમાં જગત સુષુપ્ત થઇ જાય છે તેથી"સમાધિ-કાળ" માં "સર્વ-સંસ્કારો ના ડાબલા-રૂપ" "યોગી" સંસાર-રહિત થઇ ને "બ્રહ્મ-રૂપે રહે છે, એટલે"જ્ઞાન-કાળ" માં "સર્વ-સંસ્કારોના ડાબલા-રૂપ" "જ્ઞાની" (વ્યવહારવાળો છતાં પણ) સંસ્કાર-રહિત "બ્રહ્મ-રૂપે" છે.
આમ,આકાર વગરના પર-બ્રહ્મ (સંપૂર્ણ-બ્રહ્મ) માં બ્રહ્મ-રૂપે જગત રહેલું છે, અને સંપૂર્ણ બ્રહ્મ માંથી જે જગત અને જીવ પ્રસરેલ છે તે બ્રહ્મ-રૂપે જ પ્રસરેલ છે,માટે, જગત અને જીવ -એ પૂર્ણ જ છે અને નિરાકાર જ છે.
બ્રહ્મ માંથી જગતનું સ્કરણ માનવામાં આવ્યું. એટલે તે જગતના દ્રષ્ટા-રૂપે જીવનું સ્કરણ પણ માનવામાં આવ્યું છે. અહીં દ્રષ્ટા-જગતને જોનાર--એ જીવ છે) જગત એ પૂર્ણ (બ્રહ્મ) માં થી પૂર્ણ-પણે જ પ્રસરેલું છે.અને પૂર્ણપણે જ રહેલું છે. માટે જગત ઉત્પન્ન થયું જ નથી-અને જો ઉત્પન્ન થયું હોય તો પણ તે બ્રહ્મ-રૂપ જ છે. "પ્રલય"માં જીવ ને જગત નું "દ્રષ્ટા-પણું" નહિ રહેવાથી,જગતમાં "દય-પણું" પણ રહેતું નથી. એટલે પછી જગતમાં "જગત-પણું" ક્યાંથી બાકી રહ્યું?
બ્રહ્મમાં ચિત્ત-દયપણું-વગેરે છે જ નહિ છતાં તે મિથ્યા પ્રતીત થાય છે. બ્રહ્મ માં કોઈ "ઉપાધિ" (માયા) છે જ નહિ, તો પછી "ઉપાધિ (માયા) માં બ્રહ્મ "જીવ-રૂપે પ્રતિબિમ્બિત" થાય છે તેમ પણ કેમ કહેવાય?