________________
પણ,હે, રામ,જો પરમાત્મા ને જાણવામાં આવે તો, સઘળાં દુઃખો નો સમૂહ શાંત થઇ જાય છે. રામ બોલ્યા-મને પરમાત્મા નું ખરું સ્વરૂપ કહો કે જે જાણવાથી મારું મન સર્વ મોહ ને તરી જાય.
વશિષ્ઠ બોલ્યા-આપણું જ્ઞાન જગતના એક પ્રદેશમાંથી પલકવારમાં (જગતના) બીજા પ્રદેશમાં પહોંચે છે. તે વખતે -તે (જગતના) બંને પ્રદેશના સંબધ થી રહિત એવું જે નિર્વિષય સ્વ-રૂપ પ્રતીત થાય છે તે - પરમાત્મા નું સ્વ-રૂપ છે. જે "જ્ઞાન-રૂપી" મહાસાગરમાં સંસાર (દશ્ય) નાશ-વગેરે કોઈ "વિકારો" ને પ્રાપ્ત થયા વિના, પણ અત્યંત "અભાવ" પામે છે તે પરમાત્માનું સ્વરૂપ છે. દ્રષ્ટા (પરમાત્મા) અને દુય (જગત) નો ક્રમ -એમ ને એમ રહે છતાં તે ક્રમ) અસ્ત પામી જાય, અને ભરપૂર (ભરેલું) છતાં પણ કલ્પનાઓ ને અવકાશવાળું(ખાલી) લાગે છે -તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
જે અશૂન્ય છતાં પણ શૂન્ય જેવું પ્રતીત થાય,જેમાં "વાંઝણી ના પુત્ર" જેવું (મિથ્યા) આ જગત રહ્યું છે, અને, જે પોતાનામાં અનંત બ્રહ્માંડો હોવાં છતાં પણ તેમનાથી રહિત છે- તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
જે મહા-જ્ઞાનમય છતાં પણ મોટા પાષાણ (પથ્થર) ની શિલા ની પેઠે રહેલું છે, અને જેમાં જડ અને ચેતન રૂપ સઘળા જગતનો સમાવેશ થાય છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
બહારના અને અંદરના સર્વ વિષયો સહિત આ જગત જેની સત્તાથી સત્તા પામ્યું છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. જેમ,દેખાવ એ પ્રકાશ થી જુદો પડતો નથી,અને આકાશ થી શૂન્ય-પણું જુદું પડતું નથીતેમ, આ જગત કલ્પિત હોવાને લીધે, જેના સ્વ-રૂપ થી જુદું પડતું નથી તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
રામ બોલ્યા-જે પરમાત્મા જોવામાં આવતા નથી.તે જ એક સત્ય છે એમ કેમ જાણી શકાય? નેઆવડું બધું પ્રત્યક્ષ (નજર સામે દેખાતું જગત સઘળું મિથ્યા (ખોટું છે-એ શી રીતે મન માં ઉતરે? (૩-૭)
વશિષ્ઠ બોલ્યા-આ જગત-રૂપી "ભ્રમ" જેમ આકાશમાં લીલા-કાળા રંગ (ભ્રમને લીધે) જોવામાં આવે છેતેમ-ઉત્પન્ન થયો છે. જો તેના અત્યંત "અભાવ" નું જ્ઞાન -દૃઢ રીતે થાય તો જ તેનુંઅધિષ્ઠાન (આધાર) "બ્રહ્મ" સ્પષ્ટ જાણવામાં આવે છે-બીજી કોઈ ક્રિયાથી તે જાણવામાં આવતું નથી.
દૃશ્ય (જગત) ના અત્યંત "અભાવ" ને દૃઢ કર્યા વિના બ્રહ્મ ને જાણવાનો બીજો કોઈ સારો ઉપાય નથી. જેવી સ્થતિમાં છે તેવી જ સ્થિતિમાં રહેલા આ જગત નો અત્યંત અભાવ સમજાય તો - તેના અધિષ્ઠાન-રૂપ (આધાર-રૂપ) પરમાત્મા બાકી રહે છે, જે આ વસ્તુ "જ્ઞાનથી" સમજે છે તે-પોતે જ "પરમાત્મા-રૂપ" થાય છે.
જ્યાં સુધી દર્પણ ની આજુબાજુ કોઈ પદાર્થ હોય ત્યાં સુધી દર્પણ માં તેનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી, તે જ પ્રમાણે,જ્યાં સુધી જગત પોતાની સત્તાવાળું દેખાય છે, ત્યાં સુધી બુદ્ધિમાં તે જગતનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું જ નથી. આથી જગતનો અત્યંત અભાવ કરવાથી,બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડતું નથી, અને આમ થાય છે ત્યારે જ, બુદ્ધિમાં (જગત-દય ને બદલે) બ્રહ્મ (દ્રષ્ટા) નું (સાચું) પ્રતિબિંબ પડે છે. આમ,આ "જગત" નામનો "દશ્ય" પદાર્થ "મિથ્યા" જ છેએમ નિશ્ચય કર્યા વિના કોઈ પણ મનુષ્ય "પરમ-તત્વ" (પરમાત્મા-દ્રષ્ટા) ને સમજી શકે નહિ,
રામ બોલ્યા-હે મુનિ.આટલું બધું મોટું બ્રહ્માંડ-રૂપ જે"દુશ્ય" છે તેમાં પોતાની સત્તા નથી પણ બ્રહ્મ ની જ સત્તા છે -એમ આપે કહ્યું,પણ તે મનમાં શી રીતે ઉતરે? જેમ સરસવ ના પેટમાં મેરુ-પર્વત નો સમાવેશ -એ