________________
અસંભવિત છે,તેમ અત્યંત સૂક્ષ્મ એવા બ્રહ્મા આવડા મોટા બ્રહ્માંડ નો સમાવેશ થાય એ અસંભવિત લાગે છે.
વશિષ્ઠ બોલ્યા-હે,રામ,જો તમે મનમાં અકળાયા વિના,મહાત્માઓના અને ઉત્તમ શાસ્ત્રો ના સંગ માં તત્પર રહીને થોડાક દિવસ સાંભળ્યા કરશો તો જેમ ખરું જ્ઞાન થતા,ઝાંઝવાનું પાણી દેખાતું બંધ પડે છે, તેમ તમારી બુદ્ધિમાંથી -હું ક્ષણ-માત્ર માં દૃશ્ય (જગત) ને ઉડાડી દઈશ.(ભૂંસી નાખીશ)
દૃશ્ય-રૂપ આ જગત,દૃષ્ટિમાંથી નાશ પામે છે -ત્યારે દ્રષ્ટા-પણું પણ શાંત પડે છે.અને કેવળ જ્ઞાન બાકી રહે છે. જો દૃશ્ય (જગત) છે તો જ દ્રષ્ટા (પરમાત્મા) છે,અને જો દ્રષ્ટા (પરમાત્મા) છે તો જ દૃશ્ય (જગત) છે. તેજ રીતે જો -એક હોય તો તે બંને છે અને જો બંને હોય તો પણ તે એક જ છે. આમાંથી જો એક નો અભાવ થાય તો બંને ની સિદ્ધિ થતી નથી (બંને અસિદ્ધ થાય છે)
આ પ્રમાણે,જયારે -એક-પણું,બે-પણું,દૃશ્ય-પણું,અને દ્રષ્ટા-પણું--એ ચાર નો યે અભાવ થશેત્યારે એક-પરમાર્થ વસ્તુ (સત્ય-બ્રહ્મ) જ બાકી રહે છે.
વશિષ્ઠ કહે છે કે-તમારા મન-રૂપી દર્પણ માં અહંપણા -વગેરે દૃશ્ય-જગત-રૂપ જે મેલ છે,તેનો, અત્યંત અભાવ સમજાવીને તે મેલ ને હું લુછી નાખીશ.
જે પદાર્થ પોતાની સત્તા વિનાનો હોય તેનો ભાવ હોતો નથી અને જે પદાર્થ પોતાની સત્તાવાળો હોય, તેનો અભાવ હોતો નથી.આથી જગત પોતાની સત્તા વિનાનું હોવાથી તે ભાવ વિનાનું જ છે, તેથી તેને ટાળી દેવામાં તે શી મહેનત પડવાની?
જગત મૂળે ઉત્પન્ન થયું જ નથી,છતાં તેની આ જે વિશાળતા દેખાય છે તે નિર્મળ પરમાત્મા માં જ દેખાય છે, અને પરમાત્મા ની સત્તા થી તે સત્તા વાળું છે.
જેમ,સુવર્ણ નો હાર વગેરે આભુષણ -સુવર્ણથી જુદાં ઉત્પન્ન થયાં નથી,સુવર્ણ થી જુદાં નથી,
અને સુવર્ણ થી જુદાં જોવામાં આવતાં નથી,તેમ આ જગત -પણ,
બ્રહ્મ થી જુદું ઉત્પન્ન થયું નથી,બ્રહ્મ થી જુદું નથી અને બ્રહ્મ થી જુદું જોવામાં આવતું નથી. એ જગત ને ટાળવામાં શું મહેનત પડવાની?
આ વિષય હું તમને ઘણી ઘણી યુક્તિઓ થી કહીશ -એટલે અબાધિત એવું શુદ્ધ "તત્વ" (બ્રહ્મ-સત્ય) પોતાની મેળે જ તમારા અનુભવ માં આવશે.
જેમ,રણ માં નદી જ ના હોય તો જળ કેવી રીતે હોય?
તેમ જગત મૂળ માં ઉત્પન્ન થયું જ ના હોય તો -તેનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય?
જેમ વાંઝણી નો પુત્ર હોતો નથી,ને જેમ આકાશમાં વૃક્ષ હોતું નથી,તેમ ભ્રાંતિ-રૂપ જગત મૂળમાં છે જ નહિ.
હે,રામ,જે આ જોવામાં આવે છે તે અખંડિત "બ્રહ્મ" જ છે.અને આ વિષય ને હું આગળ જતાં કેવળ વચનો થી જ નહિ પણ યુક્તિ થી કહીશ.હે,રામ,વિદ્વાન લોકો આ વિષયમાં યુક્તિઓથી જે કહે છે,તેનો અનાદર કરવો યોગ્ય નથી,જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય,યુક્તિઓથી ભરેલા આ વિષય નો અનાદર કરીને, મહા-દુઃખ-દાયી -(ઉલ્ટી વાતનો) આગ્રહ લઇ બેસે છે,તેને વિદ્વાન લોકો મૂર્ખ જ સમજે છે.
(૮) ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણ થી તત્વ-જ્ઞાન થાય છે.
રામ બોલ્યા-જે કાંઇ આ દેખાય છે તે સઘળું બ્રહ્મ-રૂપ જ છે-એ વાત કઈ યુક્તિથી જાણવામાં આવે? અને તે કેવી રીતે સિદ્ધ થાય? અને તે વાતને ન્યાય થી અનુભવવામાં આવે તો પછી,
83