________________
(1) વૈરાગ્ય પ્રકરણ
(૧) વાલ્મીકિ અને રાજા અરિષ્ટનેમિ નો સંવાદ
પૂર્વે, અરિષ્ટનેમિ નામના એક રાજાને વૈરાગ્ય થવાથી,પુત્રને રાજ્ય સોંપી દઈને ગંધમાદન પર્વતમાં તપ કરવા ચાલ્યો ગયો હતો.એના તપના પુણ્યના કારણે સ્વર્ગ ના રાજા ઇન્દ્રે તે રાજાને સ્વર્ગમાં લઇ આવવા તેના દૂતને મોકલ્યો,ત્યારે રાજા દૂત સાથે સ્વર્ગમાં જવા માટે ‘ના’ પાડી દે છે.
કારણકે –દૂત મારફતે તેણે જાણ્યું કે-જેવું પુણ્ય કર્યું હોય,તે અનુસાર સ્વર્ગમાં સુખ ભોગવવા મળે છે,અને પુણ્ય ખતમ થતાં જ સ્વર્ગમાંથી ધકેલી મુકવામાં આવે છે,પાછો મનુષ્ય નો અવતાર લેવો પડે છે.
એટલે રાજા,દૂતને કહે છે કે-આવા સ્વર્ગ ને હું ઇચ્છતો નથી,સર્પ જેમ જૂની કાંચળી ને છોડી દે છે,તેમ, હજી હું મહા-ઉગ્ર તપ કરીને,પાપ-કર્મ નો સમૂળ નાશ કરી,અનાસક્ત થઈ,આ અશુદ્ધ શરીર ને છોડી દઈશ. મારે પુણ્યો ભોગવવા નથી,મારે ફરી ફરી જન્મ લેવો નથી.
રાજાની,આવી વાત દૂત મારફત સાંભળી,ઇન્દ્રે દૂતને કહ્યું કે
તું ત્યાં ફરીથી જા,અને તે વૈરાગ્યવાન રાજાને ‘આત્મ-સ્વ-રૂપ’ નો બોધ કરાવવા, તત્વ-વેતા –વાલ્મીકિ- ના આશ્રમે લઇ જા.અને વાલ્મીકિ ને મારો સંદેશો કહેજે-કે
આ વૈરાગ્યવાન અને નમ્રતાવાળો રાજા સ્વર્ગને ઇચ્છતો નથી,તો, હે,મહામુનિ,તમે તેને આત્મજ્ઞાન આપો, એટલે સંસારનાં દુઃખોથી કાયર થયેલો,આ રાજા ‘ક્રમ-પૂર્વક’ મોક્ષ પામશે.
ત્યારે ઇન્દ્રનો દૂત.અરિષ્ટનેમિ રાજાને વાલ્મીકિ પાસે લઇ જાય છે,ત્યારે રાજા વાલ્મીકિ ને પૂછે છે-કેહું શી રીતે સંસાર-રૂપ બંધનથી થતાં દુઃખો ની પીડામાંથી છુટો થાઉં ? તે આપ મને કહો.
વાલ્મીકિ કહે છે કે-હે,રાજન સાંભળ,હું તને વશિષ્ઠ અને શ્રીરામ ના સંવાદ-રૂપે થયેલી,મોક્ષના ઉપાયોવાળી, શુભ કથા કહું છું,તે તું એકાગ્ર-ચિત્ત થઈ સાંભળ,અને તે સાંભળી ને યત્ન-પૂર્વક, મનમાં ધારણ કરીને, તું જીવન-મુક્ત થઈશ.તું નિઃસંશય થા, મને “પર-બ્રહ્મ” ના સાચા સ્વરૂપ નું જ્ઞાન છે.
(૨) અધિકારી,ગ્રંથ-રચના,અને જીવન-મુક્ત ની સ્થિતિ
વાલ્મીકિ કહે છે-કે
આ શાસ્ત્ર નો (યોગ વાસિષ્ઠ-મહારામાયણ નો) ‘અત્યંત અજ્ઞાની’ કે ‘અત્યંત જ્ઞાની’ અધિકારી નથી. પણ,જે મનુષ્યને ‘હું આ સંસારમાં બંધાયો છું,અને જ્ઞાન મળવાથી હું મુક્ત થઈશ’ એવો નિશ્ચય હોય તે જ –આ શાસ્ત્ર નો અધિકારી છે.
જે વિવેકી પુરુષ,પ્રથમ “પૂર્વ રામાયણની” કથાઓનો વિચાર કરી,(પૂર્વ રામાયણ=રામજન્મ થી રાવણ વધ) તેમાં કહેલા,નીતિ અને ધર્મ પ્રમાણે ચાલે છે.અને પછી,
મોક્ષના ઉપાયરૂપ-ઉત્તર-રામાયણ (આ યોગ-વાસિષ્ઠ) નો વિચાર કરે છે,તેનો પુનર્જન્મ થતો નથી.
8
પ્રથમ,પૂર્વ-રામાયણમાં રાગ-દ્વેષ-આદિ દોષો પર વિજય કરવામાં પ્રબળતા ધરાવનાર,
રામચંદ્ર ની કથાઓ-રૂપ “ઉપાયો” રચ્યા હતા, અને તે ભરદ્વાજમુનિ નામના શિષ્યને આપ્યા હતા, ભરદ્વાજે તે બ્રહ્માની આગળ બોલી દેખાડ્યા હતા,ત્યારે સંતોષ પામેલા બ્રહ્માએ ભરદ્વાજ ને વર માગવાનું કહ્યું.