________________
અને એમ થાય તો સમાધિ ની મહેનત થી શું મળ્યું? (કશું જ નહિ). અને આમ અનર્થ જ જો પાછો આવે તો-પછી જરાવાર રહેનારી સમાધિ માં શું સુખ છે?
માટે જો દૃશ્ય (જગત) ની સત્તા રહેશે તો - અનેક યત્ન કરીને સમાધિ કર્યા છતાં તે સમાધિમાં દૃશ્ય (જગત) ની પ્રતીતિ થશે જ. કારણકે જ્યાં ચૈતન્ય (દશ્ય-પરમાત્મા)રહે છે ત્યાં તેને લગતો-જગત-રૂપી-ભ્રમ આવ્યા વિના રહેશે નહિ. અને કદાચ જીવ -સમાધિમાં બળાત્કારથી પોતાનામાં પાષાણ (પથ્થર) -પણા ની ભાવના કરે તો પણ -સમાધિ ના અંતમાં દૃશ્ય (જગત) નો ઉદય થયા વગર રહેશે જ નહિ.
આમ,આથી,જો દૃશ્ય એ જો પરબ્રહ્મ થી જુદી સત્તા-વાળું હોય તો-તે કદી પણ શાંત થાય નહિ. તપથી,જપ થી અને ધ્યાન થી તે દુય ની શાંતિ થશે-એ તો મૂર્ખાઓની કલ્પના છે.
જેમ કમળકાકડી ના ગર્ભ માં કમળ ના બીજ રૂપ સૂક્ષ્મ તંતુ રહે છે તેમ-દ્રષ્ટા (પરમાત્મા) માં દૃશય (જગત) બીજ રૂપે રહેલ છે. જેમ,તલ-વગેરેમાં તેલ,જેમ,પદાર્થોમાં રસ છે, અને પુષ્પોમાં સુગંધ છેતેમ દ્રષ્ટા માં દૃશય નો અનુભવ સર્વદા હોય છે જ.
જેમ,કપૂર -વગેરે પદાર્થો ને ગમે ત્યાં રાખવામાં આવ્યા હોય પણ તેમની સુગંધ નો ઉદય થયા વિના રહેતો નથી, તેમ,ચૈતન્ય-રૂપ આત્મા ને સંધિમાં રાખવામાં આવ્યો હોય તો પણ તેના ઉદરમાં જગત નો ઉદય થયા વિના રહેતો નથી.. મનુષ્ય ના નાના હૃદયમાં પણ-જેમ મોટામોટા સંકલ્પો,સ્વપ્નો અને મનો-રાજ્યો રહેલા છેતેમ, ચૈતન્ય (પરમાત્મા-દ્રષ્ટા) ના સૂક્ષ્મ ઉદરમાં સઘળું દશ્ય" (જગત)રહેલ છે.
જેમ (બાળકના ) મનની કલ્પનામાં રહેલ પિશાચ (ભૂત) -તે બાળક ને દુઃખી કર્યા વગર રહે જ નહિ, તેમ,સર્વદા વળગી રહેલ આ "દૃશય-રૂપી-ચૂડેલ" જીવ ને દુઃખી કર્યા વગર રહે જ નહિ.
જેમ,બીજ ની અંદર રહેલો અંકુર, દેશ-કાળ (અનુકૂળ સ્થિતિ) મળતા પોતાના દેહને અંકુરિત થઇ પ્રકાશિત કરે છે.અને જેમ,બીજ (સૂક્ષ્મ-ગર્ભ) ની અંદર અંકુર આદિ વિચિત્ર કાર્યો રચવાની,અવિનાશી શક્તિ -સર્વદા રહેલી છેતેમ,ચૈતન્ય-રૂપ-આત્મા (પરમાત્મા) ની અંદર "સ્વ-ભાવ-રૂપ-જગત" (દશ્ય) ની સ્થિતિ સર્વદા રહેલી છે.
(ર) આકાશજ નામના-તત્વવેતા બ્રાહ્મણ ની કથા.
વશિષ્ઠ કહે હે કે-હે, રાઘવ, હવે તમને શ્રવણ ના અલંકાર-રૂપ એવું "આકાશજ" નામના બ્રાહ્મણનું આખ્યાન કહું છું,તે તમે સાંભળો,કે એથી તમને આ "ઉત્પત્તિ-પ્રકરણ" સારી રીતે સમજાશે,
આકાશજ નામે એક ધર્માત્મા બ્રાહ્મણ હતો,તે ધ્યાનમાં નિષ્ઠા રાખતો હતો અને પ્રજાનું હિત કરવામાં તત્પર રહેતો હતો.એ ઘણું લાંબુ જીવ્યો. "મૃત્યુ" તે બ્રાહ્મણ ને મારવા મેરુ-પર્વત પરના તેના નગરમાં ગયો. અને જેવો તે નગરમાં પેસવા ગયો,કે અગ્નિ -કે જેને તે બ્રાહ્મણે કિલ્લા-રૂપે રાખ્યો હતો - તે "મૃત્યુ" ને બાળવા લાગ્યો.આમ છતાં મૃત્યુ- એ અગ્નિની જ્વાળાઓને ચીરીને -નગરની અંદર પ્રવેશ્યો, અને તે બ્રાહ્મણ ને જોઈને, પ્રયત્ન-પૂર્વક તે બ્રાહ્મણ ને હાથથી પકડવા નો પ્રયત્ન કરવા લાગ્યો.