________________
જેમ, સુવર્ણ માં "કડા-પણું" નથી,તેમ બ્રહ્મ માં "જગત-રૂપ-પણું" નથી.
જેમ ઝાંઝવા (મૃગજળ) નાં પાણી ની નદી,એ સાચી જણાય-એવી ખોટી ચંચળ લહરીઓ ઉત્પન્ન કર્યા કરે છે, તેમ,મન પણ સાચી જણાતી,"જગત-સંબંધી" ખોટ અને ચંચળ એવી ઇન્દ્રજાળ ની શોભા ઉત્પન્ન કર્યા કરે છે.
જે અવિદ્યા (અજ્ઞાન-માયા) ને લઈને આ જગતનું ખોટા-પણું છે, તે અવિદ્યા નાં-"બંધ,માયા,મોહ,મહત,તમ, અને સંસ્કૃતિ" એવાં નામ વિદ્વાનો એ "
કઠાં" છે. હે,રામ, પ્રથમ હું "બંધ" નું સ્વરૂપ તમને કહું છું. તે તમે સાંભળો, તે પછી તમે મોક્ષ નું સ્વરૂપ જાણી શકશો.
"દ્રષ્ટા (આત્મા-પરમાત્મા) પર દશ્ય (જગત) ની" જે સત્તા થાય છે-તે જ "બંધ " (બંધન) કહેવાય છે. આમ દ્રષ્ટા એ દર્ય ના બળ થી જ મિથ્યા) બંધાયેલો છે-પણ જો દર્ય (અંગત) નો બાધ થઇ જાય અથવા તો "દશ્ય (જગત) એ મિથ્યા છે" -તેવું જ્ઞાન થઇ જાય તો દ્રષ્ટા (આત્મા) મુક્તિ પામે છે.
જગત-તું અને હું -વગેરે પદાર્થો "દય" કહેવાય છે, અને જ્યાં સુધી એ દૃશ્ય હોય છે ત્યાં સુધી મોક્ષ-હોતો નથી. "આ દ્રશ્ય નથી-આ દુય નથી" (આ દ્રશય એ સાચું નથી) એવા વ્યર્થ બજ્વાદો થી દુય શાંત થતું નથી. કારણકે એથી "આ દ્રશ્ય નથી તો બીજું કંઇક દૃશ્ય છે" એવા સંકલ્પો ઉઠે છે,અને દૃશ્ય-રૂપી રોગ ઉલટો વધે છે.
વળી,તીર્થ-નિયમ-વગેરે થી પણ તે દ્રય શાંત થતું નથી, દ્રશ્ય-રૂપી જગતનો બાધ કરવા નો ઉપાય તો "વિચાર" જ છે. જો જગત-રૂપી -દૃશય -એ બ્રહ્મ થી જુદું જ સત્તા વાળું હોય તો કોઈને શાંતિ થાય જ નહિ, કારણકે-અસત પદાર્થ નો ભાવ (સત્તા) હોતો નથી અને સત નો અભાવ હોતો નથી (સત ની જ સત્તા છે) એટલે "વિચાર" વિના બીજા કોઈ પણ ઉપાય થી આત્મા જાણવામાં આવી શકતો જ નથી.
દ્રષ્ટા (પરમાત્મા) ની સત્તાથી દૂરય (જગત) પદાર્થની સત્તા જુદી નથી, માટે જ્યાં જ્યાં દ્રષ્ટા હોય, ત્યાં ત્યાં તેના સૂક્ષ્મ ઉદરમાં પણ ભ્રાંતિ થી દૃશ્ય નો ઉદય થાય છે. માટે "આ જગત આત્માથી સ્વતંત્ર સત્તા-વાળું છે, કે જેથી). જેને મેં તપથી,જપથી ને ધ્યાન થી છોડી દીધું છે"એમ સમજવું એ સાચું નથી.
હે,રામ,જે દૃશ્ય (જગત) પદાર્થ,જુદી સત્તા-વાળો હોય તો સૂક્ષ્મ ઉદરવાળા આ ચૈતન્ય-રૂપી (પરમાત્મા-રૂપી) દર્પણ માં તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહિ. જેમ,દર્પણ ગમે તે સ્થળમાં હશે પણ તેમાં સમુદ્ર, પર્વત,નદી,પૃથ્વી અને જળ વગેરેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે જ નહિ. તેમ,ચૈતન્ય-રૂપી દર્પણ (પરમાત્મા-દ્રષ્ટા) ગમે ત્યાં હશે, તો પણ તેમાં જગત (દય)નું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહિ અને આમ,તે પ્રતિબિંબ પડશે,એટલે ત્યાં પણ દુ:ખ-જરા -મરણ અને જન્મ ના તેમજ જાગ્રતમાં તથા સ્વપ્નમાં અનેક રીતે બદલાતા,નાના-મોટા પદાર્થો નો ત્યાગ અને સ્વીકાર મટશે જ નહિ.
"આ દૃશય ને મેં ટાળી નાખ્યું છે અને હમણાં હું આ (ધ્યાન ની) સ્થિતિમાં આવ્યો છું" એમ જો સમાધિમાં પ્રતીત થાય તો તે સમાધિમાં - સંસાર (દય) ના સ્મરણ નું એ જ અક્ષય બીજ હજુ પણ રહ્યું છે-એમ સમજવું. પરંતુ, જો દૃશ્ય ના રહ્યું હોય-તો -જ-નિર્વિકલ્પ સમાધિ માં "તુરીયાવસ્થા -રૂપ" બ્રહ્મ-પણા નો અનુભવ થાય છે.
હે રામ,જેમ સુષુપ્તિના અંતમાં સર્વ જગત પાછું, પ્રતીત થાય છે. તેમ, જો સંસારને ટાળ્યો ના હોય) તો, સમાધિ ના અંતે આ અખંડિત દુઃખ-રૂપ જગત જેવું છે તેવું જ પ્રતીત થયા વિના રહેશે નહિ.