________________
(૧) જ્ઞાનથી જ મોક્ષ થાય છે.કર્મ કે યોગ ધી નહિ
વશિષ્ઠ કહે છે કે-"બ્રહ્મ-રૂપ" (એવો) -"બ્રહ્મ-વેતા" જ - મહાવાક્યો થી પ્રાપ્ત થયેલા,બોધ-રૂપી પ્રકાશથી પૂર્ણ-સ્વ-રૂપે પ્રકાશે છે. કારણ કે આ જે દૃશ્ય-પદાર્થ-રૂપ જે જગત છે તે સ્વપ્ન ની પેઠે આત્મામાં જ પ્રગટ થયેલું છે,
જે કોઈ મનુષ્ય -"શ્રવણાદિક ઉપાયો થી,બ્રહ્મ ને જાણે છે-તે બ્રહ્મ નો સાક્ષાત્કાર પામે છે"
આ ન્યાય પ્રમાણે સઘળી સૃષ્ટિ બ્રહ્મ-માત્ર-માં જ છે.
માટે આ જગત શું છે?કોનું છે? અને શામાં રહ્યું છે? વગેરે શંકાઓ નો અવકાશ જ રહેતો નથી.
હે રામ,આ જગત -જે રીતે મેં જાણ્યું છે,તે જે વસ્તુ-રૂપ છે અને તે જે ક્રમથી ગોઠવાયું છેતે સઘળું સાંભળનાર (શ્રોતા) ના મનમાં ઉત્તરે તે રીતે હું તમને કહું છુ. તે તમે સાંભળો.
ચિદાકાશ પોતે જ જીવ-રૂપ થઈને -પોતામાં જ -સ્વપ્ન ની પેઠે ઉત્પન્ન થયેલા જગતને દેખે છે. (એટલે) દ્રષ્ટા અને દૃશ્ય-સાથેના આ "જગત" ને "સ્વપ્ન માં પ્રતીત થયેલા સંસાર" નું જ દ્રષ્ટાંત લાગુ પડે છે. આમ,દૃશ્ય પદાર્થોની સ્થિતિ થી બંધન દેખાય છે,અને દ્રશ્યો નો બાધ થઇ જાય તો બંધન રહેતું જ નથી. માટે હવે દ્રશ્યો નો કઈ રીતે બાધ થઇ શકે તે હું તમને અનુક્રમથી કહું છું.
આ જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે,તે જ વૃદ્ધિ પામે છે,તે જ સ્વર્ગ-નર્ક માં જાય છે,
કે મોક્ષ નો અનુભવ કરે છે.
આથી હું તમને તમારા "સ્વ-રૂપ" નો બોધ થાય એ માટે પ્રથમ તમને આ પ્રકરણ નો સંક્ષેપ થી અર્ધ કહું છું, પછી તમારી ઈચ્છા પ્રમાણે વિસ્તારથી કહીશ.
જેમ "સ્વપ્ન" એ "સુષુપ્તિ" માં -લય પામે છે,તેમ જે આ સ્થાવર અને જંગમ -જગત જોવામાં આવે છે તે - પ્રલય કાળમાં લય પામે છે અને એ સમયે સ્થિર,ગંભીર અને તેજ થી ન્યારું (જ) વ્યાપક
અને "નામ-રૂપ વગરનું" કોઈ એક "સદ-વસ્તુ" બાકી રહે છે.
વિદ્યાનો એ ઉપદેશ ની સગવડ માટે-એ "સદ-વસ્તુ" નાં નામ "આત્મા પરમાત્મા પરબ્રહ્મ,સત્ય" વગેરે
નામો "કલ્પેલાં" છે. એ આત્મા કોઈ પણ વિકાર પામતો નથી,
છતાં તે કોઈ બીજી જ રીતનો (જાતનો) હોય તેમ,
"પ્રકાશ ને પામીને ભવિષ્ય ની "ભાંતિ" ને લીધે જીવન એવું શક નામ ધારણ કરે છે.
"પ્રાણ ને ધારણ કરવો" એ જીવ" શબ્દ નો અર્થ છે. તે પ્રાણ ને ધારણ કરવાથી “જીવ ચંચળપણું પામે છે. અને "સંકલ્પ" આદિ નું મનન કરવાથી એ "મન " થઇ જાય છે.અને "રૂપ" ધારણ કરે છે. એ "મન" "લિંગ શરીર" કહેવાય છે.
આ રીતે-જેમ સ્થિર આકાર-વાળા સમુદ્રમાંથી અસ્થિર આકાર-વાળો-"તરંગ ઉત્પન્ન થાય છેતેમ,વ્યાપક પરમાત્મા માં થી મન ઉત્પન્ન થાય છે.કે જે "હિરણ્ય-ગર્ભ -૩પ-બ્રહ્મા" કહેવાય છે. અને તે તરત જ પોતાની મેળે જ પોતાની ઈચ્છા પ્રમાણે સંકલ્પો કર્યા કરે છે. તેથી,તે સંકલ્પો (તરંગો) થી આ વિસ્તાર-વાળી "જગત-રૂપ-ઇન્દ્રજાળ" ઉભી થઇ છે.
આમ,જેમ સુવર્ણ ના કડાં નો અર્થ સુવર્ણ થી જુદો નથી-તેમ જગત -શબ્દ નો અર્થ પર બ્રહ્મ થી જુદો નથી. આ અનંત પ્રકારો વાળું જગત -એ સંપૂર્ણ રીતે બ્રહ્મ માં જ રહેલું છે,તેમ છતાં,
69