________________
અને-જે નથી સમજ્યો તેને તે સઘળું રસ-વાળું લાગે છે.
આ પ્રમાણે જગતની રચના ક્ષણિક સ્થિતિ-વળી અને ક્ષણિક-નાશવાળી છે, અને ક્ષણે ક્ષણે તે આવ-જા કરે છે. આ સંસારમાં -- જેનો ફેરફાર થતો નથી—એવો કોઈ પણ પદાર્થ જોવામાં આવતો નથી.
(૧) વધવું (૨) રૂપાંતર પામવું (૩) ઘટવું (૪) નાશ થવો (૫) પુનર્જન્મ થવોઆ પાંચ વિકારો-રાત-દિવસની પેઠે-પ્રાણી ને અનુક્રમે નિરંતર લાગ્યા કરે છે.
સંસારમાં પડેલ મનુષ્ય,ક્ષણે-ક્ષણે ઉદય-અસ્ત ને પામ્યા કરે છે. નથી તેની આપત્તિઓ સ્થિર રહેતી કે નથી તેની સંપત્તિઓ સ્થિર રહેતી. સમર્થ લોકો ને પણ સપાટામાં લઈને મોટે ભાગે વિપત્તિઓ જ દેનાર કાળ (સમય) પોતાની યથેષ્ટ ક્રિયાઓ-પોતાની રીતે - કરતો રહે છે.
(૨) વૈરાગ્યવર્ણન અને ઉપદેશની માગણી
રામ બોલ્યા-એ પ્રમાણે “દોષ-દર્શન” (રૂપ દાવાગ્નિને લીધે મારા વિવેકી મનમાં, વિષયો પરના વિશ્વાસ (રૂપ બીજ) બળી ગયો છે.અને –આથી જેમ,સરોવરમાં ઝાંઝવાનાં પાણી બનતાં (ક્રૂરતાં) નથી, તેમ,મારા મનમાં ભોગ ની આશાઓ ફરતી જ નથી.
હે મુનિ,લોકો ના મનમાં દિવસે દિવસે ભૂંડાઈ વધતી જાય છે, ને ભલા-પણું ઓછું થતું જાય છે. જગતમાં દિવસે-દિવસે “મર્યાદા” તૂટતી જાય છે, અને તે તૂટે છે તે કોઈના જાણવામાં પણ આવતી નથી!
હે મુનિશ્વર,જેમાં કોઈ જ જાતની ચિંતા નથી-એવી (મન ની) એકાગ્રતા, એ, ચિંતાઓથી ભરેલા રાજ્ય અને રાજ્ય-વૈભવ થી ઉત્તમ છે. આ ઉદ્યાનો (બગીચાઓ) મને આનંદ આપે તેમ નથી,સ્ત્રીઓ મને સુખ આપી શકે તેમ નથી,અને ધનની પ્રાપ્તિ મને હર્ષ આપી શકે તેમ નથી. હું તો મારા મન ની સાથે (મનમાં) શાંત થવા ધારું છું.
હે પિતા,આ લોક (જગત) અનિત્ય તથા દુઃખ-રૂપ છે, તૃષ્ણાઓ પુરી પડે (પુરી થાય) તેવી નથી, અને મન જો તેની ચપળતાથી ઘેરાયેલું હોય, તો ત્યારે હું કેવી રીતે આનંદ પામી શકું? હું જીવન કે મરણ –કોઈને અભિનંદતો નથી,હું તો જેમ રહું છું, તેમ શાંત રહીશ. મારે રાજ્યનું,ભોગોનું,ધનનું કે તે ધન માટે ના ઉદ્યમ (પરિશ્રમ) નું શું પ્રયોજન (કામ) છે? એ સઘળું તો અહંકાર ને લીધે થાય છે, પણ મારો તો અહંકાર જ ગળાઈ (મરી) ગયો છે.
હે,મુનીન્દ્ર,સ્વચ્છ બુદ્ધિ થી,બાલ્યાવસ્થામાં જ જો આ ચિત્ત (મન) નો ઉપાય કરવામાં ના આવે તો પછી તેનો અવસર (સમય) પછી પાછળથી આવશે જ ક્યાંથી? જે વિષ (ઝેર) કહેવાય છે તે વિષ નથી,પણ “વિષયો ની વિષમતા” – એ જ વિષ છે, કારણકે વિષ તો એક જન્મમાં જ હાનિ પહોંચાડે છે, જયારે વિષયો તો જન્માંતરો પણ હાનિ પહોચાડે છે. આત્મ-જ્ઞાની ને સુખ-દુ:ખ,જીવન-મરણ,સ્ત્રી, પુત્ર,મિત્ર,બાંધવો-વગેરે કોઈ બાંધી શકતાં નથી.
હે બ્રહ્મન,હું જે ઉપદેશથી જ્ઞાની થઈને શોક, ભય તથા પરિશ્રમ થી રહિત થાઉં તેવો ઉપદેશ મને તરત આપો. મને કરવતથી કોઈ વહોરે તો તે કદાચ હું સહન કરી શકું,પણ,