________________
246
૩) શુભેચ્છા અને વિચારણા થી સૂક્ષ્મ-પણું થાય અને તેથી ઇન્દ્રિયો અને તેના અર્થ પ્રત્યે અનાસક્તિ થાય તેને “તનુમાનસા” કહે છે. ૪) ઉપરની ત્રણ ભૂમિકા ના અભ્યાસથી –ચિત્તમાં બહારના વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય-અને તેથીશુદ્ધ તથા સત્ય આત્મામાં જે સ્થિતિ થાય તેને “સત્વાપત્તિ” કહે છે.
૫) ઉપરની ચાર દશાના અભ્યાસથી,અસંસંગ-રૂપી ફળ થાય છે.(સમાધિને લીધે-ચિત્તને અંદરના તથા બહારના આકારનું જ્ઞાન ના રહે તેવી જાતનું ફળ થવું-તેને અસંસંગ કહે છે.) અને તેથી ચિત્તમાં, પરમાનંદ તથા બ્રહ્માત્મ-ભાવ ના સાક્ષાત્કાર-રૂપી ચમત્કાર થાય છે, તેને “અસંસક્તિ” કહે છે. ૬) ઉપરની પાંચ ભૂમિકા ના અભ્યાસથી,આત્માનંદને લીધ,બહારના તથા અંદરના પદાર્થની જેઅ-ભાવના થાય છે, તેને “પદાર્થભાવની” કહે છે. ૭) આ છ ભૂમિકાના અભ્યાસથી,ભેદ-માત્ર—ના- જણાવાના લીધે,"એક સ્વ-ભાવ”માં જ જે નિષ્ઠા રહેલી છેતેને “તુર્યગા” કહે છે.અને આ પ્રમાણે ની તુર્યાવસ્થા “જીવનમુક્ત” મનુષ્યમાં રહેલી હોય છે.
આ સાત ભૂમિકાથી પર “વિદેહ-મુક્તિ” નો વિષય છે અને તેને “તુર્યાતીત-પદ” કહે છે.
હે, રામ,જે મોટા ભાગ્ય-વાળા મનુષ્યો સાતમી ભૂમિકામાં પહોંચેલા છે,તે આત્મા-રામ મહાત્માઓ મહત-પદ” ને પામેલા છે.અને આમ જે જીવન-મુક્ત થયેલા છે –તેઓ સુખ-દુ:ખમાં આસક્ત થતા નથી. કોઈ સમયે આવી પડેલાં વ્યવહારનાં કાર્યો કરે છે તો કોઈ વખતે કરતા નથી અને તેમને જગતની કોઈ પણ ક્રિયા સુખ-રૂપ થતી નથી.
આ પ્રમાણેનું સાત ભૂમિકા નું જ્ઞાન વિદ્વાન મનુષ્યને જ થાય છે, મલિન ચિત્ત-વાળા કે પશુને નહિ. પણ પશુ કે મલેચ્છ ને પણ જો ઉપર કહેલી જ્ઞાન-દશા પ્રાપ્ત થાય તો તે દેહ-રહિત કે દેહ-સહિતહોય તો પણ –મુક્ત થાય છે. તેમાં કોઈ સંશય નથી.કારણકે-એવે વખતે ભ્રમ ની શાંતિ થાય છે.
ઘણા એવા લોકો છે કે જે બધી (સાત) ભૂમિકાઓ નહિ તો અમુક ભૂમિકાઓ સુધી પહોંચેલા હોય છે. ઇન્દ્રિયોના વિષય અને શરીર-જન્ય તાપ ની નિવૃત્તિ માટે,વિવેકી મનુષ્ય,બ્રહ્માકાર-વૃત્તિ વડે – આ લોકમાં ઉપરની સાત ભૂમિકામાં ફર્યા કરે છે. જે ધીરજવાન મનુષ્ય આ આત્મ-લાભ-રૂપ સર્વ થી શ્રેષ્ઠ દશામાં રહે છે, તે ચક્રવર્તી-રાજા જેવો ગણાય છે. આવો મહાત્મા વંદન કરવા યોગ્ય છે. જોકે તે ભૂમિકામાં ચક્રવર્તી-પણું તથા બ્રહ્મ-શરીર પણ તૃણવત ગણાય છે, કારણકે તેને તેનાથી ઉત્તમ એવું,વિદેહ-કૈવલ્ય-સુખ આ જગતમાં જ મળે છે.
(૧૧૯) સત્ય વસ્તુ ની દઢતા માટે સુવર્ણ અને વીંટી નું દૃષ્ટાંત
વશિષ્ઠ કહે છે કે-હે રામ જેવી રીતે સુવર્ણ, એ ત્રણે કાળમાં સુવર્ણ જ છે, તેમ છતાં,વીંટી નું ભાન થવાથી, તે સુવર્ણ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને “હું સુવર્ણ નથી” એમ માનીને ખેદ કરે છેતેવી રીતે,"આત્મા" એ "અહંતા" ને લીધે,પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને ખેદ કરે છે.
રામ કહે છે કે-હે મુનિ સુવર્ણને વીંટીના જ્ઞાન નો અને આત્મા ને અહંતા નો કેવી રીતે ઉદય થયો તે કહો.
વશિષ્ઠ કહે છે કે-સપુરુષે સાચી વસ્તુના ઉદય તથા નાશ વિષે પ્રશ્ન કરવો જોઈએ,ખોટી વસ્તુના ઉદય અને નાશ માટે નહિ.અહંતા તથા વીંટી-પણું,એ બંને વસ્તુ,જ ખોટી છે. કારણકે કોઈ મનુષ્ય ને સુવર્ણ ની ખરીદી કરવી હોય, ત્યારે તે દલાલ ને કહે છે-મારે સુવર્ણ લેવું છે. ત્યારે તે દલાલ “તમે સુવર્ણ ને માટે આ વીંટી રાખો” એમ કહીને સુવર્ણ ના બદલે વીંટી આપે છે ત્યારે