________________
વળી,ચૈતન્ય-રૂપી અણુસર્વ-રૂપ છે માટે,તે સદ્રુપ (સત્-રૂપ) છે, અને જોઈ ના શકાય તેવો હોવાથી અસત્ –રૂપ પણ છે.(૨૫)
ચિત્ત-અણુ માં “ચેતન-ધર્મ” હોવાથી,તે ચેતન-રૂપ છે,પણ”ચૈતન્ય-પણા ના અભાવથી”અચેતન-રૂપ છે. જે (જગત) નો આત્મા-એ ચિત્ત નો ચમત્કાર માત્ર છે,જે ચિત્ત ની પ્રતિભા-રૂપ છે,અને જે પવન થી હાલતા, વૃક્ષ જેવું (અત્યંત અસત્) છે –તે આ “જગત” માં ચિત્ત અને ચૈતન્ય (દ્વૈત) રૂપની કલ્પના જ ક્યાંથી હોય?
જે પ્રમાણે ઘાટો તડકો –એ-મૃગજળ ની નદીરૂપે દેખાય છે,તે પ્રમાણે એક અદ્વૈત-ચેતન-ચૈતન્ય ના પ્રતિભાસ થી “જગત” જણાય છે.
સુર્યના કિરણથી આકાશમાં રહેલા સૂક્ષ્મ પદાર્થો જોવામાં આવે છે,તેમાં “અસ્તિતા” અને “નાસ્તિતા” એ બંને રહેલ છે.તેવી જ રીતે કલ્પના-આદિથી “અસ્તિતા” અને “નાસ્તિતા” છે.
જેમ માયાને લીધે,સુર્યના કિરણ વાળા આકાશમાં સુવર્ણ જોવામાં આવે છે,
તેમ,માયાને લીધે આ જગત જોવામાં આવે છે.તો તેમાં ચિત્ત અને ચૈતન્ય (દ્વૈત) ની કલ્પના કેમ ઘટે? દીર્ઘ-કાળના ભ્રમથી આ જગત જોવામાં આવે છે.
આ પ્રમાણે જ્ઞાન થવાથી તથા નિર્મળ અભ્યાસ થવાથી,જ્ઞાનવાન મનુષ્યો નાં આ સંસારમાં જન્મ-મરણ થતાં નથી.(મુક્ત થાય છે) ભીંત,આકાશ તથા “આકાશ-મય આકાશ” માં દેખાવા-માત્ર ભેદ છે. પણ વસ્તુતઃ ભેદ નથી.માટે ઘાસથી (જગત ની નાનામાં નાની વસ્તુથી) માંડી બ્રહ્મલોક સુધી, જે એક વસ્તુ સત્ય છે-“તે જ એક વસ્તુ સત્ય છે.” (૨૬)
જુદા-પણા ના સંસ્કાર વાળી બુદ્ધિના ચમત્કાર થી,બુદ્ધિને જુદાપણું દેખાય છે,પણ વસ્તુતઃ જુદાપણું નથી, આત્મ-પ્રકાશ સર્વાત્મક છે,અને વૃક્ષમાં જેમ બીજ છે તેમ તે (આત્મ-પ્રકાશ) છે.
બીજ અને તેની અંદર રહેલું વૃક્ષ-પણું જેમ જુદું છે અને નથી,તથા,જેમ,બીજમાં વૃક્ષ રહેલું છે તેમ, બ્રહ્મ માં “આકાશની પેઠે” નિરંતર જગત રહેલું છે.એટલે બીજ માં રહેલું વૃક્ષ-પણું આકાશ-રૂપ છે. અને તેવી જ રીતે બ્રહ્મમાં જે જગત રહેલું છે-તે સાક્ષીપણા થી ચૈતન્ય-રૂપ છે.
આ પ્રમાણે (આકાશની પેઠે) સર્વ ઠેકાણે બ્રહ્મ ની સત્તા રહેલી છે,કે જે શાંત,અજ,અને એક છે,તથા તે આદિ-મધ્ય-અંત રહિત છે.તે બ્રહ્મ ની “એકતા” (એક છે તે) ના ગુણે કરીને પણ શૂન્ય છે,અને, માયા-સંબંધ થી રહિત છે, ચૈતન્ય-રૂપ છે,સર્વત્ર વ્યાપક છે. (૧ થી ૬૨-સાર-રૂપે)
(૮૧) રાજાએ બાકીના પ્રશ્નો ના ઉત્તર આપ્યા.
રાક્ષસી કહે છે કે-હે,મંત્રી તમારું બોલવું (જવાબ) પવિત્ર અને પરમાર્થ-રૂપ છે, હવે બાકીના પ્રશ્નો નો જવાબ આ કમલલોચન રાજા આપશે.
રાજા કહે છે કે-હે,રાક્ષસી,જયારે જગતની પ્રતીતિ નો અભાવ થાય છે,ત્યારે જ આત્મ-પ્રીતિ થાય છે.અને જયારે સર્વ સંકલ્પ નો ત્યાગ થાય છે,ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે. આત્મ-સત્તામાં સંવેદન નો વિકાસ થાય છે,એટલે જગતમાં સૃષ્ટિ જોવામાં આવે છે.અને આત્મ-સત્તામાં સંવેદન નો સંકોચ થાય છે ત્યારે એટલે જગતમાં પ્રલય જોવામાં આવે છે. માટે વેદાંતનાં વાક્યોની નિષ્ઠા વાણી થી પણ અગોચર છે.
આ ચર-અચર જગત આત્મા(પરમાત્મા) ની ચિત્ત-લય લીલા છે,
તે જગત છે અને તે જગત નથી-એવી રીતે બે પક્ષ-રૂપ છે,તેમજ બે પક્ષની વચ્ચે રહેલું છે.
187