________________
168
પરમાત્મા થી એ જીવ કેવી રીતે ઉત્પન્ન થયો? અને તે કોણ છે? તે તમે મને ફરીથી કહો.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,બ્રહ્મ માં સમસ્ત "શક્તિ" રહેલી છે.અને તે સર્વ કરવાને સમર્થ છે. જે "શક્તિ" થી તે જેવી "સ્ફરણા" કરે છે, તેને તે પ્રાપ્ત થયેલ જુએ છે. "સર્વાત્મા-ઈશ્વર" ની અનાદિકાળથી"ચૈતન્ય-રૂપ-સ્ફરણા" થાય છે-તેને "જીવ" કહે છે. આત્મા ને તેનું સ્વાભાવિક દ્વૈત-પણું –એ જ સંસારની પ્રવૃત્તિ નું મુખ્ય કારણ છે.ત્યાર પછી, પૂર્વ સંકલ્પિત વાસનાને લીધે જન્મ-મરણનાં કારણે ઉત્પન્ન થાય છે.
રામ પૂછે છે કે-હે મુનિશ્રેષ્ઠ જયારે એ પ્રમાણે છે તો-દ્વૈત એટલે શું?કર્મ એટલે શું? અને કારણ એટલે શું? વશિષ્ઠ કહે છે કે-આકાશમાંના વાયુ ની પેઠે સ્કુરણા થવી તથા ના થવી એ બંને "ચૈતન્ય નો સ્વભાવ છે. જયારે તેની ફુરણા થાય છે ત્યારે ઉલ્લાસ થાય છે અને જયારે નથી થતી ત્યારે તે શાંત રહે છે. શુદ્ધ ચૈતન્ય માં સ્વાભાવિક "અવિદ્યા" ની ફુરણા થાય છે.ત્યારે તેને "સ્પંદન" કહે છે. અને એથી આ જગત દેખાય છે.પછી જયારે દુય (જગત) ની દ્રયતા શાંતિ થાય છે ત્યારે તેને "અ-સ્પંદન" (ફુરણા ના થવી) કહે છે.
શુદ્ધ ચૈતન્ય ના સ્પંદન થી "સૃષ્ટિ" ની ફુરણા થાય છે અને અ-સ્પંદનથી "શાશ્વત બ્રહ્મ" ની સ્કુરણા થાય છે. ચૈતન્ય ના "સ્પંદન" ના જીવ (પ્રાણ ના હલન ચલન ને જીવ કહે છે)-કારણ (પોતાની અંદર રહેલાં કાર્ય પેદા થવાં-તેથી કારણ) અને કર્મ (શરીર નું હલન ચલન થવાથી કર્મ થાય છે) એવાં જુદાંજુદાં નામ છે. અને તે સંસાર નું બીજ છે.
આ પ્રમાણે,દ્વિત્વ (બે અથવા દ્વૈત) થયેલા ચૈતન્ય ના આભાસથી,કર્મ અનુસાર,મરણ સમયના સંકલ્પને લીધે,જે પ્રકારની વાસના થાય તેવો સૃષ્ટિમાં દેહ ઉત્પન્ન થાય છે.અને વિવિધ પ્રકારના ભોગવવાના પદાર્થ ઉત્પન્ન થાય છે. હજારો જન્મ તથા મરણનાં કારણને પામેલો જીવ ઘણા જન્મ પછી મોક્ષ ને પામે છે. ત્યારે જ્ઞાની એક જ જન્મ માં મોક્ષ પામે છે.
ચૈતન્ય ના સ્વભાવને જેવી ઉપાધિ નો સંબંધ તેવાં તેનાં કારણો બંધાય છે, તેથી કોઈ સમયે સ્વર્ગ-નરક-મોક્ષ કે બંધન પ્રાપ્ત થાય છે. જેમ સુવર્ણ ના કુંડળ વગેરે પહેરેલાં હોય તેમ તે કાષ્ટસમાન આ જડ-દેહમાં જન્મ-મરણ વગેરે વિકાર રહેલા છે. આમ ઉપરના જન્મ-મરણ ના વિકાર કુંડળની પેઠે ખોટા જ છે, તથા થતા જ નથી. તો પણ ભ્રમને લીધે જન્મ થયો-સ્થિતિ થઇ-મરણ થયું-વગેરે વિકારનો અનુભવ થાય છે.
આશાથી પરવશ થયેલું ચિત્ત પોતાને પરમાર્થ (પરમ-અર્થ) નું જ્ઞાન ના હોવાથી - "હું-મારું" વગેરે અસત્ય-રૂપ ને જુએ છે. જીવને ભ્રાંતિ ને લીધે જ જગતનું સ્કરણ થાય છે, અને તે બધું,"મનો-માત્ર" છે.ને "ભ્રાંતિ"ના ઉલ્લાસથી જ જણાય છે.
હે, રામ, સમુદ્રના સૌમ્ય-જળમાં કેવી રીતે પાણી ના સ્પંદ (મોજાં) પેદા થાય છે તેવી રીતે,બ્રહ્મ-રૂપી સમુદ્રમાં ચૈતન્ય-રૂપી જળમાં "ચિત્ત-રૂપી મોજાં" અને "સૃષ્ટિ-રૂપી પરપોટા" ઉત્પન્ન થાય છે. સંવિત (સત્ય કે જ્ઞાન) નો એ "આભાસ" (સૃષ્ટિ) એ-"વિષય-રૂપે" રહેલ છે. ચિદાભાસ-રૂપે-તે-બ્રહ્મ એ જીવ કહેવાય છે, તથા સંકલ્પથી તે બ્રહ્મ -એ મન કહેવાય છે. વળી (પછી) તેના બુધ્ધિ-ચિત્ત-અહંકાર-તથા માયા-એવાં નામ પડે છે. અને તેથી જગત સત્ય જણાય છે)
સ્વપ્ન માં જેમ ભ્રમ થાય છે, તેમ તે ચિત્ત ને સંસ્કૃતિ (ભ્રાંતિ) નો અનુભવ થાય છે.