________________
130
પૂર્વ કલ્પ-માં જે બીજા જીવો હતા, તેમણે મોક્ષ નહિ મળવાથી, તેમની મિથ્યા વાસના આ સર્ગોમાં "કારણ-રૂપ" થાય છે. જેમ હિરણ્યગર્ભ ની સૃષ્ટિ,"પ્રધાન" માંથી "મહત-તત્વ" અને "મહત-તત્વ" માંથી અહંકાર -વગેરે ક્રમે ઉત્પન્ન થાય છે-તેમ,જીવો ની પ્રત્યેક સૃષ્ટિ પણ તે જ અનુક્રમે થાય છે.
મરણ-રૂપ મૂછ ને અંતે,જીવ ની બહાર અસ્પષ્ટ અને જીવ ની અંદર સ્પષ્ટ જેવી જ સ્થિતિ હોય છે, તે "પ્રધાન" કહેવાય છે, અને તેનાં "પ્રકૃતિ-અવ્યક્ત-વ્યોમ-જડાજડ" એ નામો પણ કહેવાય છે. આ "પ્રધાન" (પ્રકૃતિ) જ સૃષ્ટિ ના આદિ-રૂપ છે અને પ્રલય ના અંત-રૂપ છે.
આ "પ્રધાન" (પ્રકૃતિ) જયારે "સ્પષ્ટ થવાને તત્પર" થાય છે, ત્યારે તે "મહત-તત્વ" કહેવાય છે, અને જયારે તે "સ્પષ્ટ" (હં-અહમ) થાય છે ત્યારે તે (સ્થળ) "અહંકાર" કહેવાય છે. એ અહંકારમાંથી તન્માત્રાઓ,દિશાઓ,કાળ,ક્રિયાઓ અને પંચમહાભૂત ઉદય પામે છે.
"સ્પષ્ટ" થયેલા "અહંકાર" ની જે "સૂક્ષ્મ" અવસ્થા છે તે પાંચ-ઇન્દ્રિયો કહેવાય છે. અને તે જ લિંગ (આતિવાહિક) દેહ કહેવાય છે. (લિંગ-દેહ માં પંચમહાભૂતો હોતાં નથી) તે લિંગ-દેહ સ્વપ્નમાં અને જાગ્રતમાં સ્પષ્ટ જણાય છે. તે લિંગ-દેહ લાંબા કાળ (સમય) ની પ્રતીતિ ને લીધે "કલ્પના-વડે" બાળક ની પેઠે પુષ્ટ થાય છે-અને"સ્થળ-દેહ-પણા"ની પ્રતીતિ આપે છે.
તે તે દેશના અને તે તે કાળના જે પદાર્થો વિશેષ કરીને ધૂળ-દેહ પર આધાર રાખે છેતેઓ સ્થળ-દેહ ની રીતે જ પ્રતીત થાય છે. એટલે તે વાસ્તવિક રીતે ઉત્પન્ન થયા નથી પણ વાયુ ના વાવા ની પેઠે ઉદય પામ્યા છે. આ સંસાર-રૂપી ભ્રમ મિથ્યા વૃદ્ધિ પામ્યો છે, અને તે સ્વપ્નની સ્ત્રીના સંગ ની પેઠે,અનુભવવામાં આવ્યો હોવા છતાં પણ મિથ્યા જ છે.
જીવ જ્યાં મરણ પામ્યો હોય, ત્યાં જ,તે તુરત જ જાણે "ધૂળ-પણા" થી જ રહેતો હોય, તેમ આ વિસ્તારવાળા પ્રપંચ ને જુએ છે. જીવ (આત્મા) ચિદાકાશ-રૂપ છે, પણ નવાં પ્રતીત થયેલાં દેહ-વગેરે ને લીધે તે જન્મેલા જેવો થાય છે. અને સ્વચ્છ રૂપમાં રહેતો હોવા છતાં પણ,"આ હું છું અને આ જગત છે" એવા ભ્રમ ને અનુભવે છે.
તેને એ "જગત-રૂપી ભ્રમ"માં દેવતાઓથી,નગરોથી,પર્વતોથી,સૂર્યથી,અને તારાઓ વગેરેથી સુંદરતા દેખાય છે.તો તે પર્વતો ના કેટલાંક કોતરો જરા-મરણ-વ્યાધિઓ થી ભરેલાં પણ દુ:ખથી જુએ છે. છતાં તે ઇષ્ટ પદાર્થો મેળવવામાં અને અનિષ્ટ પદાર્થો નું નિવારણ કરવાના આગ્રહ થી ઉદ્યોગ કર્યા કરે છે.
પર્વતો,સમુદ્રો,નદીઓ,દીવડો,રાત્રીઓ,કલ્પો,ક્ષણો,અને ક્ષયો-પણ એ "જગત-રૂપી-ભ્રમ"માં જ રહ્યા છે. "હું અમુક પિતાથી જમ્યો છું" એવો નિશ્ચય પણ ભ્રમ જ છે.અને તેમાંથી જ "આ મારી મા છે,આ મારું ધન છે" વગેરે વાસનાઓ ઉદય પામે છે."મેં આ પુણ્ય કર્યું કે આ પાપ કર્યું" એવી કલ્પના પણ એ ભ્રમમાં જ છે. "હું પ્રથમ બાળક હતો અને હમણાં જ યુવાન થયો છું"એવી રીતે એ ભ્રમ હૃદયમાં ઝૂરે છે.
અને જયારે આ જીવ મરણ પામે છે ત્યારે ક્ષણ-માત્રમાં જ એ તેના મને બનાવેલા સઘળા બ્રહ્માંડને જુએ છે. અને આ રીતે "પ્રાણી-દીઠ ઉદય પામેલા બ્રહ્માંડો" માં જુદા જુદા લોકો" (જેમ કે પૃથ્વી-લોક) અને તેમના દેવતાઓ (બ્રહ્મા-વિષ્ણુ-વગેરે) પણ પેદા થઈને નષ્ટ પામી ગયેલા છે. બ્રહ્માના સ્વરૂપમાં દેખાઈ અને દેખાઈને નષ્ટ થતા આવા તો કરોડો "દેખાવો" (દ્રયો) વીતી ગયા છે,