________________
લીલા જયારે "નિર્વિકલ્પ-સમાધિ" કરે છે ત્યારે તેમાં-સમજવા માટે સાંખ્યના (દ્વૈત ના) તર્ક નો- ઉપયોગ કરીએ તો
આ સમાધિમાં દેહ ભૂલાઈ જાય છે-એટલે તે "લિંગ શરીર" (પાંચ મહાભૂત વગરનું) ધારણ કરે છે.અને જો અદ્વૈત ના તર્ક થી સમજીએ તો તે સમાધિ માં -આકાશ -રૂપ -થઇ જાય છે.અને આ આકાશ-રૂપે તે બ્રાહ્મણ ને અને નવા વિદુરથ બનેલા-તેના બંને પતિઓ ને જોઈ શકે છે. સામાન્ય -તર્ક થી આ રીતે સમજવામાં આવે તો -આગળ સમજી શકાય?? )
દેવી કહે છે કે-હે,સુંદરી,હું ખોટી વાત કરતી જ નથી.પણ યથાર્થ જ કહું છું.સાચું બોલવાના જે વેદોક્ત નિયમો છે,તેણે અમે તોડીએ જ નહિ.જે મર્યાદા ને જો બીજો કોઈ તોડવા પ્રયત્ન કરે તો હું તે મર્યાદાને સ્થાપિત કરું છું,પછી તે મર્યાદાને હું જ તોડું તો બીજું કોણ પાળે?
એ પહાડી ગામના બ્રાહ્મણ નો જીવ ચિદ્રુપ (ચિત્ત-રૂપ કે મન-રૂપ) છે અને
તે પોતાના હૃદયકાશમાં પોતાના ઘરમાં જ આ મોટા દેશને જોઈ શકે છે. હે,સુંદરી,જેમ જાગ્રત ની સ્મૃતિ લુપ્ત થઈને સ્વપ્નમાં બીજા પ્રકારની સ્મૃતિ થાય છે, તેમ તમને આગળની સ્મૃતિ લુપ્ત (મરણ) થઈને -બીજા પ્રકારની સ્મૃતિ થઇ છે. સ્મૃતિ નો લોપ થવો (લુપ્ત થવું) એ જ મરણ છે.
જેમ સંકલ્પમાં અને અરીસામાં આખી પુથ્વી રહે છે,તેમ પર્વતો,વનો અને નગરવાળી આ પૃથ્વી -તેબ્રાહ્મણના ઘરની અંદર જ રહી છે.આ તારું ઘર પણ એ બ્રાહ્મણ ના ઘરના આકાશમાં જ રહ્યું છે. હું.તું અને બ્રહ્માંડ એ સઘળાં કેવળ ચિદાકાશ-રૂપ (ચિત્ત-આકાશ કે મન-આકાશ) જ છીએ. એમ સમજ
સઘળા પ્રપંચ (માયા) નું "મિથ્યા-પણું" સમજવામાં તથા અધિષ્ઠાન-ચૈતન્ય નું "સત્ય-પણું" સમજવામાંસ્વપ્ન સંબંધી "ભ્રમ","સંકલ્પ" અને પોતાના "અનુભવ"ની પરંપરા એ જ મુખ્ય "સાધન" છે.
એ બ્રાહ્મણ નો જીવ પોતાના ઘરમાં રહ્યો છે,અને જેમ ભ્રમર કમળમાં રહે છે.
તેમ સમુદ્રો અને પૃથ્વી વગેરે -તેના હ્રદયકાશ માં રહેલી છે.
પૃથ્વી ના કોઈ એક નાનકડા ખૂણા ના કોતરમાં -એ નગર અને શરીર -વગેરે રહેલ છે. હે,સુંદરી,એ પૂર્વ ની સૃષ્ટિ અને આ સૃષ્ટિ-તે ઘરની અંદર એકઠી થઇ છે,છતાં પણ ઘર એમનું એમ જ છે. તો એ ઉપરથી આપણે એક ત્રસરેણુ ની અંદર પણ અનેક બ્રહ્માંડો રહેવાની સંભાવના કરીએ તેમાં આશ્ચર્ય શું? આમ ચિદાકાશ ના એક પરમાણુમાં અનેક બ્રહ્માંડો રહેલા છે તેમાંય શંકા શી છે?
લીલા બોલી-હે,પરમેશ્વરી,તમે કહો છો કે એ બ્રાહ્મણ આજ થી આઠમે દિવસે મરી ગયો છે,પણ અમારા જન્મ ને તો વરસો વીતી ગયા છે તો એ બ્રાહ્મણ બ્રાહ્મણી માંથી અમારી ઉત્પત્તિ કેવી રીતે સંભવે?
દેવી કહે છે કે-હે,સુંદરી,હ્રદયાકાશમાં જેમ દેશ ની લંબાઈ નથી,તેમ કાળ ની પણ લંબાઈ નથી જ. એ વિષે હું ન્યાય ને અનુસરીને કહું છું તે તું સાંભળ.
જેમ આ જગતની સૃષ્ટિ પ્રતિભાસ માત્ર જ છે,તેમ ક્ષણ અને કલ્પ પણ પ્રતિમાસ માત્ર છે. તુંપણા અને હુંપણા ના અધ્યાસ ને લીધે-જેમને પોતાનો જન્મ થયાની ભ્રાંતિ છે,તેમને જ - ક્ષણ-કલ્પ વગેરે સઘળું જગત ભાસે છે. અને હવે આ પ્રતિભાસ થવાનો ક્રમ કહું છું તે તું સાંભળ.
દેવી કહે છે કે-હૈ, સુંદરી, જીવ" એ "ક્ષણ-માત્ર"માં પોતાના "મિથ્થા મરણ-રૂપી મૂર્છા" નો અનુભવ કરીને "આગળના ભાવ" ને ભૂલી જાય છે અને "બીજા ભાવ"ને દેખે છે.
એ "બીજા ભાવ" નો પ્રતિભાસ થાય છે એટલે
પોતે દેહાધિક આધારથી રહિત છતાં પણ (એટલે કે પોતાનો દેહ નહિ હોવાને લીધે) પોતાના હૃદયાકાશમાં જ "હું આ દેહાધિક આધારમાં આધેય-રૂપે રહ્યો છું એવો અનુભવ કરે છે.
111