SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 109 છે.તેમાં મેરુ-પર્વત-રૂપી થાંભલો છે.સૂર્ય-રૂપી દીપક છે. એમાં ખૂણાઓમાં રહેલી, પાંચ-મહાભૂતો-રૂપી ઉધઈઓએ પર્વતો-રૂપ માટીના ઉકરડા કર્યા છે. અનેક પુત્રો વાળો "બ્રહ્મ" નામનો બુટ્ટો માણસ એ મંડપમાં છે. એ મંડપ જીવો-રૂપી કોશેટાઓથી ભરપુર છે.અને પૃથ્વી આદિ લોકો ની અંદર રહેલાં નગરો-ગામડાંઓ અને વસ્તી થી ભરપૂર છે. એ મંડપ ના પર્વતો ના પથ્થરો થી કોઈ ઊંડાણ વાળા ખૂણામાં ખાડા જેવું પહાડી ગામ છે. અને એ ગામમાં સ્ત્રી,પુત્ર અને પશુઓ ની સંપત્તિ વાળો,રાજાના ભય થી રહિત,અતિથીઓ ને પૂજનારો, અને ધર્મમાં તત્પર રહેનારો એક અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો. (૧૯) વશિષ્ઠ નામના એક બ્રાહ્મણ નું દષ્ટાંત દેવી કહે છે કે એ બ્રાહ્મણ નું નામ વશિષ્ઠ હતું.તે ધનથી,વેશથી,અવસ્થા થી,કર્મથી,વિદ્યાથી,વૈભવથી,તથા ચેષ્ટા થી વશિષ્ઠ જેવો જ હતો,પણ વશિષ્ઠ ના જેવો તે જીવન-મુક્ત નહોતો. એણે ચંદ્રમા જેવી રૂપમતી "અરુંધતી" નામની સ્ત્રી હતી. તે બ્રાહ્મણી પણ ધનથી,વેશથી,અવસ્થા થી,કર્મથી,વિદ્યાથી,વૈભવથી,તથા ચેષ્ટા થી અરુંધતી જેવી જ હતી. પણ અરુંધતી ના જેવી જીવન-મુક્ત ન હતી. સ્વાભાવિક પ્રેમ-રસ થી ભરેલી પોતાની પત્ની ને તે બ્રાહ્મણ પોતાના સંસારના સર્વ-રૂપ માનતો હતો. એક વખત એ બ્રાહ્મણ પર્વત ના સપાટ અને લીલા ઘાસવાળા શિખર પર બેઠો હતો ત્યારે, ખીણમાં થઇ ને એક રાજા તેના પરિવાર અને સન્ય ના કાફલા સાથે મૃગયા રમવા જતો -તેના જોવામાં આવ્યો.રાજાનો વૈભવ જોઈને તે બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે "સઘળાં સૌભાગ્ય થી શોભી રહેલું આ રાજા-પણું તો બહુ સારું લાગે છે.આવો પૃથ્વી-પતિ હું કયારે થાઉં?" અને આ પ્રમાણે નો સંકલ્પ ત્યારથી તે વશિષ્ઠ-બ્રાહ્મણના મનમાં લાગી રહ્યો. કાળ-ક્રમે બ્રાહ્મણ ને જરા-અવસ્થા (વૃદ્ધાવસ્થા) પ્રાપ્ત થઇ અને- મરણ નજીક આવ્યું-ત્યારે તેની સ્ત્રી - ભય થી કરમાવા લાગી અને તેને મારું આરાધન કરવા માંડ્યું.પણ પતિને અમર-પણું મળવું અશકય છેએમ જાણનારી તે સ્ત્રીએ,હે,લીલા, મારી પાસે તારી જેમ જ વરદાન માંગ્યું હતું કે"મારો પતિ મરી જાય ત્યારે તેનો જીવ આ મારા મંડપમાંથી જાય નહિ" મેં એને "તથાસ્તુ" કહ્યું. પછી કાળના યોગ થી તે બ્રાહ્મણ મરી ગયો ત્યારે તે જ ઘરમાં આકાશમાં જીવ-રૂપે રહ્યો. નિરાકાર શરીર-વાળો તે બ્રાહ્મણ પૂર્વના અપાર સંકલ્પ ને કારણે મોટી-શક્તિવાળો અને ગૈલોક્ય ને જીતનારો તારો પતિ પદ્મરાજ થયો હતો. "હૃદય-આકાશ-મય"પોતાના ઘરનાં આકાશમાં જીવ-રૂપે રહેતા એ બ્રાહ્મણ નું શરીર શબ-રૂપ થઇ ગયું એટલેશોક થી અત્યંત પીડા પામેલી તેની સ્ત્રી,પણ પછી થી જયારે શબ-રૂપ થઇ.ત્યારે તે બ્રાહ્મણી,દેહને દૂર છોડી દઈને મનોમય શરીર થી પોતાના પતિને પ્રાપ્ત થઇ. એના મરણનો આજે આઠમો દિવસ છે, અને તેનો જીવ એ પહાડી ગામના ઘરની અંદર રહ્યો છે. (૨૦) લીલા ના પૂર્વ જન્મ ની દૃઢતા દેવી કહે છે કે-હે,લીલા,એ બ્રાહ્મણ રાજાપણું પામીને તારો પતિ થયો હતો અને જે "અરુંધતી" નામની બ્રાહ્મણી હતી તે તું છે.ચકવા અને ચકવી ની પેઠે પરસ્પર સ્નેહથી બંધાયેલા અને પૃથ્વી પર જાણે શિવ-પાર્વતી જન્મેલાં હોય-એવાં તમે અહીં રાજ્ય કરતાં હતાં.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy