________________
૫૦
સાધક સહચરી न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया बंधवा । एक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥९॥
સુત, જ્ઞાતિ, સખા, બંધુ કર્મભાગી બને નહિ; એકાકી જીવ ભોક્તા છે કર્તાને કર્મ ઓળખે. ૯
કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા દુઃખમાં જ્ઞાતિજનો, સ્નેહીવર્ગ, પુત્રો કે બંધુઓ કોઈ ભાગ પડાવતાં નથી. કર્મ કરનાર જીવને સ્વયં તેનું દુઃખ ભોગવવું પડે છે; કારણ કે કર્મ તો તેના કરનારને જ અનુસરે છે. ઉ. ૧૩ : ૨૩