________________
૩૨
સાધક સહચરી
વસ્ત્ર પાત્ર તથા જે કૈ રજોહરણ, કંબલ; સાધુ સંયમ રક્ષાર્થે રાખે કિંવા ભલે સજે. ૧૫ न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ १६ ॥ ન પરિગ્રહ તે કીધો જ્ઞાતપુત્ર મહર્ષિએ; તે પરિગ્રહ મૂછમાં માને છે લોકના પ્રભુ. ૧૬
જે કાંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પદપુંછન, રજોહરણ ઈત્યાદિ સંયમનાં ઉપકરણોને સંયમના નિર્વાહ માટે સંયમી પુરુષો ધારણ કરે છે કે પહેરે છે, તેને જગતના જીવોના પ્રતિપાલક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી, બલ્લે તેમાં સંયમ ધર્મ બતાવ્યો છે; પણ વસ્ત્રાદિ કે કોઈપણ વસ્તુ પર જે આસક્તિ હોય તો તે જ પરિગ્રહ છે એમ તે ઋષિશ્વરે ફરમાવ્યું છે.
દશ. ૬ : ૨૦, ૨૧ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं च विउस्सग्गो, एसो अब्भिन्तरो तवो ॥ १७ ॥ પ્રાયશ્ચિત્ત તથા સેવા સ્વાધ્યાય ને વિનીતતા; કાયવ્યત્સર્ગ ને ધ્યાન એ આત્યંતર છે તપ. ૧૭
પ્રાયશ્ચિત્ત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ છે.
ઉ. ૩૦ : ૩૦ अणसणमूणोयरिया, भिक्खायरिया व रसपरिच्चाओ । कार्याकलेसो संलीणया, य वज्झो तवो होइ ॥ १९ ॥
કાયકલેશ રસ ત્યાગ વૃત્તિ રોધ ઉણોદરી; પૂણપવાસ એકાંત, કહ્યું છે બાહ્ય તે તપ. ૧૮