________________
વ્રતવિચાર વર્ગ
૩૧
'
હું !
दिटुं मिअं असंदिद्धं, पडिपुन्नं विअं जिअं । अयंपिरमणुव्विग्गं, भासं निसिर अत्तवं ॥१२॥ પરિમિત અસંદિગ્ધ સંપૂર્ણ વ્યક્ત ને સ્કુટ; પરિચિત અનુદ્દે ગી ભાષાને સંયમ વદે. ૧૨
પણ આત્માર્થી સાધક પરિમિત, સંદેહરહિત, પૂર્ણ, સ્પષ્ટ અને વાકેફદાર વાણી બોલે. તેવી વાણી પણ વાચાળપણાથી અને અન્યને ખેદ થાય તેવા ભાવથી રહિત હોવી જોઈએ.
દશ. ૮ : ૪૯ चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुँ। दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥ १३ ।। નિર્જીવ જીવતી કિંવા વસ્તુ હો અલ્પ કે બહુ; દાતણની સળી માત્ર આજ્ઞા યાચ્યા વિના કદી. ૧૩ तं अप्पणा न गिण्हंति, नो वि गिण्हावए परं । अन्नं वा गिण्हमाणं पि, नाणुजाणंति संजया ॥१४॥ નહિ ગ્રહે સ્વયં કિંવા ગ્રહવે અન્યથી નહિ; અદત્ત જે ગ્રહે તેને અનુમોદ ન સંયમી. ૧૪
સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ અલ્પ પ્રમાણમાં કે બહુ પ્રમાણમાં બીજું તો શું પણ એક દાતણની સળી માત્ર માલિકની રજા મેળવ્યા વિના સંયમી પુરુષો સ્વયે ગ્રહણ કરે નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવે નહિ કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન સુદ્ધાં આપે નહિ.
દશ, ૬ : ૧૪, ૧૫ जं पि वत्थं च पायं व कंबलं पायपुंच्छणं । तं पि संजसलज्जट्ठा, धारंति परिहरंति अ॥ १५ ॥