________________
સાધક વર્ગ
૧
૧
न बाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे । પુનામે રમણિી , તવ શુદ્ધિ / ૨૧ નિંદે ન અન્યને કિંવા પ્રશંસે નિજને નહિ, તપ ને બળવિઘાનું અભિમાન ધરે નહિ. ૨૯
વળી બીજાનો તિરસ્કાર અને પોતાની આત્મપ્રશંસા ન કરે તેમજ શાસ્ત્ર જ્ઞાન, શક્તિ કે તપશ્ચર્યા વગેરેનો અહંકાર પણ ન કરે.
દશ. ૮ : ૩૦
दुज्जए कामभोगे य, निच्चसो परिवज्जए । संकाठाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणवं ॥३०॥ દુર્જય કામ ભોગોને નિત્ય ત્યાગે સુસાધક; સર્વ શંકા તણાં સ્થાનો તપસ્વી તે વળી તજે. ૩૦
હંમેશા તપસ્વી સાધક દુર્જય એવો કામભોગોને જીતીને બ્રહ્મચર્યમાં ક્ષતિ (કે સંયમમાં હાનિ) થવાનો સંભવ રહે તેવાં બધાં શંકાના સ્થાનો પણ છોડી દે. ઉ. ૧૬ : ૧૪
पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइवि ॥ ३१ ॥ બુદ્ધોની શત્રુતા જેવું વાણી કે કર્મથી કંઈ; પ્રકટ ગુપ્ત રૂપે વા કદાપિ તે કરે નહિ. ૩૧
વાણી કે કર્મથી, છાની રીતે કે પ્રકટ રૂપે કદી જ્ઞાનીજનો (ગુરુજનો) સાથે વૈરી જેવું વર્તન પણ ન રાખે.
ઉ. ૧ : ૧૭