________________
સાધક સહચરી
लूहवित्ती सुसंतुढे, अप्पिच्छे सुहरे सिआ। आसुरत्तं न गाच्छिज्जा, सुच्चा णं जिणसासणं ॥ ९ ॥ રૂક્ષવૃત્તિ, સુસંતુષ્ટ અલ્પષ્ણુ સંયમીજન; કરે ના તે કદી ક્રોધ જિન ધર્મે રતિ ધરી. ૯
જે સંયમી રૂક્ષવૃત્તિ (કઠણ વ્રતોનો પાલક), અલ્પ ઇચ્છાવાળો અને સંતોષી જીવન ગાળનાર જિનેશ્વરોના સૌમ્ય અને વિશ્વવલ્લભશાસનને (સાંભળીને) પ્રાપ્ત કરીને કદી પણ ક્રોધ ન કરે (તે જ આદર્શ જૈન કહેવાય છે.) દશ. ૮ : ૨૫
लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं ॥१०॥ બ્રહ્મચર્ય, દયા, લજ્જા ચોથે સ્થાને સુસંયમ; એ વિશુદ્ધિ તણાં સ્થાન છે આત્માર્થી મુમુક્ષુનાં. ૧૦ બ્રહ્મચર્ય, દયા, પાપભીરુતા અને સંયમ એ ચારે વિશુદ્ધિ સ્થાનો કલ્યાણના ઇચ્છુક મુમુક્ષુ સાધકને વિકાસમાર્ગમાં ઉપયોગી સહાયકો છે.
દશ. ૯ ઉ. ૧ : ૧૩ निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो य सव्वभूएसु, तसेसु थावरेसु य ॥ ११ ॥ નિર્મમ, નિરહંકારી, નિઃસંગી ત્યક્તગૌરવ;
સમતા સર્વ જીવોમાં ધરે છે તે મહામુનિ. ૧૧ મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છોડી ત્રસ તેમજ સ્થાવર જીવો પર પોતાના આત્મા સમાન વર્તાવ કરે તે મહામુનિ
ઉ. ૧૯ : ૮૯