________________
૩૮ દેખાવ દે છે જ. કાશી નાસિક અને એવાં પવિત્ર તીર્થસ્થળોએ ધર્મને નામે ધનલોલુપી પંડ્યાજીઓની પંડ્યાશાહી પોષાય છે. તે તે રૂઢિના પ્રાબલ્યનો પુરાવો છે.
ભગવાન મહાવીરે આત્મશુદ્ધિ માટે જળ પર્યાપ્ત નથી તેમ કહી આદર્શ શુદ્ધિ માટે કેવું સ્થાન જોઈએ તે અહીં જણાવ્યું છે. धम्मे हरए बम्भे सन्तितित्थे
अणाविले अत्तपसनलेस्से । जहिंसि पहाओ विमलो विसुद्धो,, सुसीइभूओ पजहामिदोसं ॥
શુદ્ધિવર્ગઃ ૩ જૈન. જયાં ધર્મરૂપી હદ (કુંડ) અને બ્રહ્મચર્યરૂપી પુણ્ય તીર્થ છે તે કુંડના તીર્થમાં નહાવાથી જ દોષની નિવૃત્તિ થાય છે અને શાંતિ તથા શુદ્ધિની પ્રાપ્તિ થાય છે.”
ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું છે કે – न ब्राह्मणो अज्झतो सुद्धिमाह,
દ્દેિ મુક્ત સત્રવતે યુવા पुज्झे च पापे च अनूपलित्तो
अत्तजहो न यिघं पकुव्वमानो ॥
સુત્તનિપાત : સુદ્ધક્રક સુત્ત : ૩ બૌદ્ધ. જોયેલું, સાંભળેલું મુક્ત, શીલવંત, પુણ્ય, પાપ ઈત્યાદિ કમમાં જે અલ્પિત રહે છે તે બ્રાહ્મણ આર્ય કર્તવ્યો કર્યા સિવાય પાપશુદ્ધિ થતી હોય તેમ માનતો નથી.
મહાભારતમાં ભગવાન કૃષ્ણ પાંડુપુત્રોને તીર્થ સ્નાનથી પાપશુદ્ધિ નથી થતી એમ કહી કઈ નદીમાં સ્નાન કરવું જોઈએ