________________
૩૬
ગુણ અને કર્મ પ્રમાણે મેં ચાર વર્ણની વ્યવસ્થા કરી છે.' ગીતાજીમાં બ્રાહ્મણ કોને કહેવાય તેનાં સ્પષ્ટ લક્ષણો પણ મળે છે. યજ્ઞ
યજ્ઞથી સ્વર્ગ મળે છે એ રૂઢિ ખૂબ જ પ્રચાર પામી હતી, અને તે નિમિત્તે થયેલી હિંસા એ હિંસા નથી એવી અધાર્મિક માન્યતાને પ્રજાવર્ગના માનસમાં જડી દીધી હતી.
ભગવાન મહાવીરે યજ્ઞનું ખંડન ન કર્યું પરંતુ સાચો યજ્ઞ કયો છે તે સમજાવ્યું –
तवो जोई जीवो जोइठाणं, जोगा सुया सरीरं करिसंगं । कम्मेहा संजम जोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥
શુદ્ધિવર્ગઃ ૧-૨ જૈન. જે યજ્ઞમાં તપ એ જ અગ્નિ છે, જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાના યોગરૂપ કડછી છે, શરીરરૂપ યજ્ઞવેદિકા છે. કર્મરૂપી લાકડાં છે અને સંયમરૂપ શાંતિમંત્ર છે; આવા પ્રશસ્ત ચારિત્ર્ય ભાવયજ્ઞને જ સૌ કરો કે જે યજ્ઞને મહર્ષિજનોએ ઉત્તમ ગણ્યો છે.”
धम्मेन समुदानेत्वा, ततो यज्जमकप्पयुं । उपट्टितस्मिं यज्झस्मि, नास्सुगावो हनिसु ते ॥
સુત્તનિપાત : ધર્મચરિયું : ૧૭ બૌદ્ધ ધર્મથી મેળવેલા દાન દ્વારા અર્ચનના પદાથો મેળવીને તેઓ યજ્ઞ કરતા હતા. યજ્ઞ નિમિત્તે ગાય, ઘોડા કે કોઈ પણ પ્રાણી જાતને ઈજા પહોંચાડતા ન હતા.'
શ્રાવસ્તીમાં બ્રાહ્મણ પંડિતોએ ભગવાન બુદ્ધને પૂર્વના બ્રાહ્મણો કેવા પ્રકારના યજ્ઞ કરતા હતા તેમ પૂછ્યું હતું તેનો આ ઉત્તર