________________
૩૪
तपसः तत् महिना अजायत एकं ।
8 ગ્વદ. મ. ૧૦ સૂત્ર : ૧૨૯ વેદ तपसा ब्रह्म विजिज्ञासस्व ।
ઉપનિષદ્ તૈ. ઉ. ૩, ૨, ૧ તપથી આ વિશ્વમાં એક તત્ત્વ ઉત્પન્ન થયું.” “તપ દ્વારા બ્રહ્મની જિજ્ઞાસા રાખ.”
આવો ઉલ્લેખ મળે છે. પરંતુ વેદકાળમાં તે તપશ્ચય પ્રાયઃ ધૂણી ધખાવી, ઊંધે મસ્તકે રહેવું એવા અજ્ઞાનજન્ય પ્રયોગોમાં પર્યાપ્ત થતી હતી.
ભગવાન બુદ્ધ પણ પ્રથમ સાધનાકાળમાં બહુ લાંબા કાળ સુધી તેવું જ તપશ્ચરણ કર્યું ખરું. પરંતુ બધા પ્રયોગો પછી અંતે જયારે તેમને સમજાયું કે આવી જડ તપશ્ચર્યા આત્મવિકાસમાં કશી યે ઉપયોગી નથી ત્યારે તેમણે મધ્યમ માર્ગનું ધર્મચક્રપ્રવર્તન કર્યું.
પછી તો વેદ ધર્મમાં પણ તપનો વિકાસ થાય છે. અને ગીતાજીમાં વર્ણવેલા છ પ્રકારના તપથી તે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
ધાર્મિક દૃષ્ટિથી એ ત્રણે પ્રાચીન દર્શનોનું આટલું તુલનાત્મક ચિત્ર જોયા પછી હવે આપણે આજના સમાજમાં પ્રતિષ્ઠિત રૂઢિઓના સંબંધોમાં તે ત્રણેની તુલના કરીએ. રૂઢિ ઉચ્છેદન
कम्मुणा बम्भणो होइ, कम्मुणा होइ खत्तियो । कम्मुणा वइसो होइ, सुदो हवइ कम्मुणा ॥
જાતિવર્ગ : જૈન.