________________
કે ઓછીવત્તી વિચારણા કરી છે ખરી. પરંતુ તપના વિષયમાં તે વૈદિક, સામાજિક અને આધ્યાત્મિક ટાણે દૃષ્ટિએ જે મંથન જૈનદર્શન કર્યું છે તે ભાગ્યે જ બીજે સ્થળે જોઈ શકાશે અને તેનું કારણ દીર્ઘ તપસ્વી મહાવીર પોતે જ છે. તેમણે આ તત્ત્વ પર ખૂબ મંથન કરી તપશ્ચર્યાનો એવો સરળ માર્ગ કાઢ્યો છે કે એ માર્ગે સૌ કોઈ જઈ શકે અને તેનો લાભ લઈ શકે. पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं च वि उस्सग्गो, एसो अब्भिन्तरो तवो ॥ अणसणमूणोयरिया भिकूरवायरिया व रसपरिच्चाओ। कायसीलेसो संलीणया, य वज्झो तवो होई॥ एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो रिवप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पण्डिओ ॥
વ્રતવિચાર વર્ગ: ૧૭-૧૮-૧૯. જૈન પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આત્યંતર અને ઉપવાસ, અલ્પાહાર, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ આદિ આસનો અને એકાંતવૃત્તિનું સેવન એ છે બાહ્ય તપ છે.
જે મુનિ તે બન્ને પ્રકારનાં તપને વિવેકપૂર્વક આચરે છે તે પંડિતસાધક કર્મબંધનથી જલદી છૂટી શકે છે.” तपो च ब्रह्मचरियं च, अरियसच्चान दस्सनं ।
સુત્તનિપાત ઃ મહા મંગળસુત્ત ઃ ૬. બૌદ્ધ “આર્યસત્યનું દર્શન તપશ્ચર્યા અને બ્રહ્મચર્યાના માર્ગે છે.”