________________
૩૨ सर्वभूतात्म भूतात्मा, कुर्वन्नपि न लिप्यते ।
ગીતા : કર્મસંન્યાસયોગ : ૭ વેદ વિશ્વના ચરાચર સર્વ જીવોને જે આત્મવત જાણીને કર્મ કરે છે તે કર્મ કરવા છતાં બંધાતો નથી.” સંયમ
ઉપરની અહિંસાને યથાર્થરૂપે આરાધવા માટે કાયિક, વાચિક અને માનસિક સંયમની જૈનદર્શને ખૂબ આવશ્યકતા સ્વીકારી છે. अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमो ।
વ્રતવિચાર વર્ગઃ ૪. જૈન સર્વ જીવો પ્રત્યે અહિંસક વૃત્તિ યથાર્થ કેળવવા માટે સંયમની પૂર્ણ આવશ્યકતા છે.” सव्वत्थ संवुतो भिक्खु, सव्वदुक्खा पमुच्चति ।
ધમ્મપદ : ભિક્ષુ વર્ગઃ ૨. બૌદ્ધ ‘ઇંદ્રિયો અને મન બન્નેનો જે ભિક્ષુ સંયમ રાખે તે સર્વ દુ:ખથી મુક્ત થાય છે.” वशे हि यस्येन्द्रियाणी तस्य प्रज्ञा प्रतिष्ठिता।
ગીતા : કર્મયોગ : ૬૧. વેદ જે પોતાની સકસેન્દ્રિયો પર સંયમ રાખે છે તે જ સ્થિતપ્રજ્ઞ ગણાય છે.” તપ
ધર્મનો ત્રીજો પ્રકાર જૈનદર્શનમાં તપશ્ચર્યા છે. કેટલાંક તત્ત્વોમાં બીજા દર્શનો, મતો અને વાદોએ જૈનદર્શનની બરાબર