________________
૩૧
આત્મસિદ્ધિની સંપૂર્ણ સાધના કરી લીધા પછી જે મહાપુરુષમાં સંઘનો પુનરોદ્ધાર કરવાની પ્રેરણા જાગે છે તે પુરુષો લોકમાનસ અને દેશકાળને જોઈને તીર્થની પુનસ્થપના કરે એટલે કે ધર્મના મૂળ સિદ્ધાંતને જાળવીને ક્રિયાકાંડોની પુન:રચના કરે છે, તેમને જૈનદર્શનમાં તીર્થકર તરીકે ઓળખવામાં આવે છે.
તે ભગવાન મહાવીરનાં એ વખતે ધાર્મિક યુગમાં માત્ર ત્રણ ધમાં મુખ્ય ગણાતા. વેદધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ. વેદધર્મમાં કે તેમના ધર્મપુસ્તકોમાં ખાસ કરીને દોષ હતો નહિ તેમ હોઈ શકે નહિ. પરંતુ તે ધર્મના જેઓ નેતા ગણાતા હતા તેઓ તે ધર્મગ્રંથોને પોતાની સ્વાર્થવૃત્તિ ખાતર કપોલકલ્પિત અર્થનો અનર્થ કરી તેને અભડાવતાં હતાં અને પ્રજા વર્ગમાં અજ્ઞાન અને વહેમની વૃદ્ધિ કરી તેઓને ભોળવી પોતાના સ્વાર્થ અને વિલાસમાં પતિત થયે જતા હતા. ઉપનિષદ્ અને ગીતાકાળ પછી એ વેદાંતનું સ્વરૂપ બૌદ્ધ અને જૈનશ્રમણ સંસ્કૃતિના પ્રચારને લઈને ખૂબ જ પલટો પામ્યું છે. એટલે અહીં એ ત્રણે પ્રાચીન દર્શનોની સૈદ્ધાંતિક દૃષ્ટિએ તુલના આપવી ઉપયોગી થઈ પડશે. અહિંસા સવમૂહૂ મૂય: ધર્મવર્ગ : ૧૧. જૈન જે દુન્યવી સર્વજીવોને પોતા સમાન માને છે તે જ ધર્મિષ્ઠ
છે.”
अहिंसा सव्व पाणानं, अरियो ति पवुच्चति ।
ધમ્મપદ : ધર્માર્થવર્ગ : ૧૪. બૌદ્ધ સર્વ જીવો પ્રત્યે જે અહિંસક ભાવથી જીવન ગાળે છે તે જ આર્ય કહેવાય છે.”