________________
૧૪
ગૃહસ્થસાધક મટીને શ્રમણસાધક થયા. તેમના આખાયે જીવનમાં ત્યાગ અને તપશ્ચર્યાના બોધપાઠો સાંપડે છે. તેમ છતાં તેમણે ગૃહસ્થાશ્રમને તિરસ્કાય નહિ એટલું જ નહિ બલ્ક સંયમની અપેક્ષા તે પણ મુક્તિ કે નિવાણની સીડીનું એક સોપાન છે તેમ સમજાવ્યું છે. તે તેના ઉદાર અધ્યાત્મવાદનું સૂચન છે. તે કાળે તે સમયે
જ્યારે પ્રજા વર્ગમાં અજ્ઞાન, વહેમ અને રૂઢિઓનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું, પ્રજાની સંસ્કૃતિના પ્રણેતાઓ ધર્મભ્રષ્ટ બની ગયા હતા, તેમનામાં સ્વાર્થ અને વિલાસ ખૂબ વધી ગયો હતો, પોતાની નિર્બળતા અને દોષો છુપાવવા તેણે ધર્મના બાના હેઠળ પાપી પ્રવૃત્તિ આદરી મૂકી હતી, જે વખતે અહિંસાને સ્થાને હજારો મૂક અને નિરપરાધી પશુઓનાં બલિદાન થતાં, યજ્ઞને નામે મનુષ્યજાતિની હિંસા થતી, જાતિવાદની ઓથ નીચે સત્તા, અહંકાર અને સ્વચ્છંદતાનાં જોર વ્યાપ્યાં હતાં, અઘોર પાપની શુદ્ધિ કેવળ જળસ્નાનથી થાય છે તેમ સમજાવાતું, જડપૂજાનું મહત્ત્વ હતું, ખૂનખાર લડાઈઓ થતી, પ્રારબ્ધવાદની માન્યતાએ પુરુષાર્થને વિકૃત કર્યો હતો, તેવે વખતે એક મહાન ક્રાન્તિકારની આવશ્યકતા હતી જે ભગવાન મહાવીરે પૂરી પાડી. ક્રાન્તિનું સ્વરૂપ
તે ક્રાન્તિ ક્ષણિક ન હતી તેમ કૃત્રિમ પણ ન હતી. તે ક્રાન્તિ સાચી અને સ્થિર હતી. તેના ધ્યેયમાં એક જ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનું હિત ન હતું. એકલી માનવજાતિ જ નહિ બબ્બે આખા વિશ્વનાં નાનાં મોટાં સૌ કોઈ જીવોનાં કલ્યાણની તે ક્રાન્તિમાં સદ્ભાવના હતી. આથી તેના સાધનો હિંસા, વૈર