________________
૧૩ : જાતિ વર્ગ कम्मुणा बम्भणो होइ, कम्मुणा होइ खत्तिओ । वइसो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥ १ ॥ બ્રાહ્મણ કર્મથી થાયે થાયે ક્ષત્રિય કર્મથી; વૈશ્ય કર્મ થકી થાયે થાયે શૂદ્ર સ્વકર્મથી. ૧
વાસ્તવિક રીતે વર્ણવ્યવસ્થા જન્મગત નથી પણ કર્મગત છે. કર્મથી જ બ્રાહ્મણ થવાય છે, કર્મથી જ ક્ષત્રિય થવાય છે. કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર થવાય છે.
ઉ. ૨૫ : ૩૩ सक्खं सु दीसइ तवोविसेसो, न दीसइ जाइविसेसु कोवि। सोवागपुत्तं हरिएससाहुं, जस्सेरिसा इड्ढि महाणुभागा ॥ २ ॥
પ્રભાવ તપનો સાચો જાતિની ન વિશેષતા; ચંડાલ જાતિમાં જન્મી હરિકેષ થયા ઋષિ. ૨
ખરેખર દિવ્યતાનો પ્રભાવ પ્રત્યક્ષ દેખાય છે. જાતિની કશીયે વિશેષતા કે મહત્તા નથી કારણ કે હરિકેષ જેવા મહાન પ્રભાવશાળી અને તપસ્વી ઋષિ ચંડાળકુળમાં જ ઉત્પન્ન થયા
ઉ. ૧૨ : ૩૭ जहा पोमं जले जायं, नोवलिप्पइ वारिणा । एवं अलित्तं कामेहि, तं वयं बूम माहणं ॥ ३ ॥ જેમ પાણી વિષે જન્મી પઘ લેપાય ના જલે; તેમ અલિપ્ત કામોથી રે” તેને ગણું બ્રાહ્મણ. ૩
હતા..