SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પાપશ્રમણ વર્ગ પ૯ એ બન્ને ધર્મથી ભ્રષ્ટ થઈ પૃથ્વી પર પડેલા દેવેન્દ્રની માફક ખૂબ પશ્ચાતાપ કરે છે. દશ. યૂ. ૧ : ૨ जया य चयइ धम्मं, अणज्जो भोगकारणा। से तत्थ मुच्छिए बाले, आयइं नावबुज्झइ ॥ १० ॥ અનાર્ય ભિક્ષુકો જ્યારે ભોગાથે ધર્મને ત્યજે; ત્યારે તે બાલવત્ મૂર્ખ ન જાણતો ભવિષ્યને. ૧૦ અથવા જયારે કોઈ અનાર્ય ભિક્ષુ; ભોગની વાસનાને તૃપ્ત કરવા માટે પોતાના ચિરસંચિત સંયમ ધર્મને તજી દે છે ત્યારે ભોગમાં આસક્ત થયેલો તે અજ્ઞાની ભવિષ્યકાળનો લેશમાત્ર વિચાર કરી શકતો નથી. દશ. ચૂ. ૧ : ૧ पुत्तदारपरिकिण्णो, मोहसंताणसंतओ। पंकोसन्नो जहा नागो, स पच्छा परितप्पइ ॥११॥ ઘેરાઈ પુત્ર દારાથી ફસે જે મોહ જાળમાં; પકમાં નાગની પેઠે પુનઃ પસ્તાય છે પછી. ૧૧ પણ ત્યાગાશ્રમને છોડી ગૃહસ્થજીવનમાં ગયેલો તે ભિક્ષુ જ્યારે સ્ત્રી, પુત્ર અને કચ્ચાં બચ્ચાંના પરિવારથી વિંટાઈને મોહનીય કર્મની પરંપરાથી તેમાં જ ગુંચાઈ જાય છે ત્યારે તે કાદવમાં ખુચેલા હાથીની માફક ને નીર નો તીરું - ન પાણી કે ન કાંઠો એમ બન્ને સ્થિતિની વચ્ચે રહી ખેદ કર્યા કરે છે. દશ. ચૂ. ૧ : ૮
SR No.008099
Book TitleSadhak Sahachari
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy