________________
૫૮
સાધક સહચરી
जो पव्वइत्ताण महव्वयाई, सम्मं च नो फासयइ पमाया । अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्नइ बन्धणं से ॥ ७ ॥ મહાવ્રતો ગ્રહી સાધુ પાળે નહિ પ્રમાદથી; અનિગ્રહી રસાસક્ત તેનાં બંધન ના ત્રુટે. ૭
જે સાધુ પાંચ મહાવ્રતોને ગ્રહણ કરી પછી અસાવધાનતાથી તે બરાબર પાળી શકતો નથી અને પોતાના આત્માનો અનિગ્રહ (અસંયમ) કરી રસાદિ સ્વાદોમાં લુબ્ધ થાય છે તેવો ભિક્ષુ રાગ અને દ્વેષરૂપ સંસારના બંધનને મૂળથી છેદી શકતો નથી. ૩. ૨૦ : ૩૯
चीराजिणं नगिणिणं, जडी संघाडिमुण्डिणं । याणि विनतायन्ति, दुस्सीलं परियागयं ॥ ८ ॥ જટા, મુંડન, નગ્નત્વ, ચર્મ વલ્કલ છો સજે, બાહ્ય વેશ બચાવે ના દુઃશીલ સાધુને કદી. ૮
જટા, મુંડન, નગ્નભાવ, ચર્મ અને વલ્કલ વગે૨ે ચિહ્નો જ માત્ર દુરાચારવાળા વેશધારીને પાપથી બચાવવા સારુ શરણભૂત થઈ શકતાં નથી. ઉ. ૫ : ૨૧
जया ओहाविओ होड़, इंदो वा पडिओ छमं । सव्वधम्मपरिब्भट्ठो, स पच्छा परितप्पइ ॥ ९ ॥
જ્યારે આસક્તિથી સાધુ ઇંદ્રની જેમ પૃથ્વીમાં; સર્વ ધર્મ થકી ભ્રષ્ટ થતાં પસ્તાય છે પછી. ૯
જયારે આસક્તિથી સાધુ; ત્યાગાશ્રમને છોડીને ફરીથી ગૃહસ્થજીવનમાં આવે છે ત્યારે તે ત્યાગ ધર્મ અને ગૃહસ્થ ધર્મ