________________
૪૦૪
ગીતા દર્શન
(કામને જીતનાર સર્વોત્તમ) શંકર હું છું; યક્ષ-રાક્ષસોમાં (પણ શંકરનો મિત્ર ધનપતિ શ્રેષ્ઠ) કુબેર હું છું; (આઠ) વસુ (પૈકી ઉત્તમ) અગ્નિ હું છું; અને પર્વતોમાં (સર્વશ્રેષ્ઠ) મેરુ પણ હું જ છું.
પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ કહેવાય છે, તે હું છું, એમ (હે પાર્થ) તું જાણ. સેનાપતિઓમાં સ્કંદ (કાર્તિકસ્વામી) પણ હું છું અને જળાશયોમાં (મુખ્ય) સાગર પણ
નોંધ : આ બધી વસ્તુઓ પૂબ વખણાય છે, માટે તેમાં જે દૈવત છે, તે આત્માનું દૈવત જ જાણવું, જૈનસૂત્રો પણ એમ જ કહે છે કે જે પદાર્થ ચેતનવંતા હોય તેમાં જેટલું સ્થૂળ તેજ પણ દેખાય તે પૌદ્ગલિક ઋદ્ધિસમૃદ્ધિ મૂળે આત્માની જ છે. જોકે આત્મયોગ આગળ એ સાવ તુચ્છ જ છે. મતલબ કે સુંદર શરીર, અગર બહારના સુયોગો, સુયશ આદિ મળે છે તે આત્માની દિવ્ય વિભૂતિ જ છે. સ્તુતિમાં રજૂયગડાંગસૂત્રમાં પ્રભુ કેવા છે, તેના જવાબમાં ઉપલી ઘણી વસ્તુઓ આ જ રીતે આવે છે.
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् । यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥ २५ ॥ अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः । સંઘનાં ચિત્રરથઃ સિદ્ધનાં પિત્રો મુનિ રદ્દા ભૃગુ મહર્ષિઓમાં હું, ૐ એકાક્ષર વાણીમાં; હું જપયજ્ઞ યજ્ઞોમાં, અચલોમાં હિમાલય. ૨ ૫ પીપળો સર્વ વૃક્ષોમાં, દેવર્ષિ મહીં નારદ;
હું ચિત્રરથ ગંધર્વે, સિદ્ધોમાં કપિલેય હું. ર૬ સાત મહર્ષિઓમાં ભૃગુ ઉત્તમ છે, એટલે એ) હું છું; વાચાઓમાં એકાક્ષર (૩ૐકાર) હું છું, તેમજ યજ્ઞોમાં કર્મત્યાગ દ્વારા ઓકારાદિથી ઊપજનારા ) જપયજ્ઞ (ત) હું છું, અને અચલ પદાર્થોમાં હિમાલય (સર્વશ્રેષ્ઠ ગણાય છે માટે તે) પણ હું જ .
સર્વ વૃક્ષોમાં પીપળો (અશ્વત્થ) હું છું; દેવર્ષિઓમાં નારદ હું છું; ગંધર્વોમાં (દેવલોકમાં જે ગાયકની જાતિ છે, તે સંગીતકારોમાં) ચિત્રરથ હું છું, અને સિદ્ધોમાં કપિલ હું છું.