________________
અધ્યાય દસમો
૪૦૩
વળી "ગુડાકેશ' વિશેષણ વપરાયું તેનું કારણ એ કે જે દેહધારીમાં શુદ્ધ આત્મતત્ત્વ છે, તે અપ્રમત્તભાવે જ જાણી શકાય છે. વળી તે સર્વકાળે અને સર્વસ્થિતિમાં પોતાના સ્વભાવમાં જ સ્થિર રહે છે, એટલે સુપાત્ર જીવને મોક્ષનો અધિકાર છે, એમ ફલિત થાય છે. આ પરથી સહેજે સમજાશે કે જેમ જૈનસૂત્રો કહે છે કે "સર્વ જીવો આત્મભાવે તો સરખા જ છે, માત્ર કર્મસંગને લઈને ઉચ્ચનીચ ભૂમિકા પામ્યા છે, પામે છે ને પામશે, મૂળે આત્મા તો જેવો છે તેવો ને તેવો જ છે;” તેમ જ ગીતા પણ કહે છે.
आदित्यानामहं विष्णुर् ज्योतिषां रविरंशुमान् । मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासव : । इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥ २२ ॥ रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् । वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥ २३ ।। पुरोघसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् । सेनानीनामहं स्कंदः सरसामस्मि सागरः ॥ २४ ।। આદિત્યોમાં હું વિષ્ણુ છું, પ્રકાશકો મહીં રવિ; મતોમાં મરીચિ છું, નક્ષત્રોમાં હું ચંદ્ર છું. ૨૧ સામવેદ હું વેદોમાં, દેવોમાં ઈન્દ્ર છું વળી; મન છું ઈન્દ્રિયોમાં ને, છું હું ભૂતોની ચેતના. ૨૨ રુદ્રોનો શિવ ને યક્ષ, રાક્ષસોનો કુબેર છું; વસુઓમાં વળી વહિન મેરુ હું પર્વતો મહીં. ૨૩ પુરોહિતો મહીં મુખ્ય મને જાણ બૃહસ્પતિ;
સેનાપતિ મહ સ્કંદ, સાગર છું સરોવરે. ૨૪ હે પાર્થ ! (બાર) આદિત્યોમાં સૌથી શ્રેષ્ઠ એવો) : હું વિષ્ણુ છું; પ્રકાશકોમાં (સૌથી ઉત્તમ એવો) હું સૂર્ય છું; મરુતોમાં (ઓગણપચાસ મરુદ્ગણ ગણાય છે, અથવા દશ પ્રજાપતિ ગણાય છે તેમાં શ્રેષ્ઠ) હું મરીચિ (નામનો) છું; વેદોમાં સામવેદ (મુખ્ય ગણાય છે, તે ) છું; દેવોમાં ઈન્દ્ર (મુખ્ય છે માટે તે) છું; ઈન્દ્રિયોમાં સર્વશ્રેષ્ઠ) મન છું; ભૂતોમાં ચેતના (મારે લીધે જ છે); રુદ્રોમાં