________________
૩૮૬
ગીતા દર્શન ઉત્તીર્ણ થઈ શકે તેમ છે, માત્ર તારે તૈયારી કરવી જોઈએ, અને મોહને હાંકી કાઢવો જોઈએ.
અને તે મોહને હાંકી કાઢવા માટે સ્થૂળ સંસારની, સુખ તથા હસ્તી પરત્વેની વાસ્તવિક દશાનો ખ્યાલ આપી, એક બાજુથી વૈરાગ્ય જગાડવાનો સંદેશો સુણાવે છે, અને બીજી બાજુ ઘર્મે કર્મ કરવાની તાલાવેલી પ્રેરે છે. તથા કર્મ કરવા છતાં ફળથી કેમ છુટાય, એ પ્રશ્નનું મોં બંધ કરવા માટે ભકિતની અજબ જડીબૂટી આપે છે, જે સર્વ કોઈ સાધકને માટે અમૂલ્ય વસ્તુ છે. ક્રિયા માત્રનું પરિણામ જાતે વિચારીને, અંતર્યામીને ચરણે સમર્પી નિમિત્ત માત્ર બની સહજ કર્તવ્ય બજાવતાં મસ્તપણે વિચરવું તે, અથવા તો સગુરુને અંતર્યામી માનીને તેમને તન, મન અને સાધન સમર્પી દેવાં - આ બેમાંથી ગમે તે માર્ગ લે; અંતે તો બેય એક જ છે. અર્જુન માટે આ બીજો જ માર્ગ હોઈને શ્રીકૃષ્ણજી પોતા પરત્વે જ પ્રભુભાવ અજબ રીતે ઘટાડે છે. કેવી સરસ શૈલી ! અને છતાંય અનાસકત યોગી દશા ! ગીતાકાર એ રીતે ખરેખર સફળ થયા છે. આટલું વિચારીને હવે આપણે આખા અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्य-योगो
નામ નવમોધ્યાય : | 9 | "ૐ તત્ સત્ એ પ્રમાણે શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં રાજવિદ્યારાજગુહ્યયોગ નામનો નવમો અધ્યાય પૂરો થયો.
નવમા અધ્યાયનો ઉપસંહાર સદ્ગર અને સુશિષ્યનો આત્મા જ્યારે કોઈ અનેરું તાદાભ્ય અનુભવે, અગર અનુભવવાની તૈયારી કરે, ત્યારે નૈસર્ગિક રીતે ઝરે એવો ઉગારપ્રવાહ આ અધ્યાયમાં છલકતો દેખાય છે. અને તેથી રાજ વિદ્યા-રાજ ગુહ્યયોગ” એ નામ આ અધ્યાયને ખૂબ બંધબેસતું છે, એની વાચકને ખાતરી થઈ ચૂકી હશે.
- "કેવું રહસ્યજ્ઞાન ! જેમાં જાણે ભૂત-પ્રેતલોક, પિતૃલોક, દેવલોક, તેમજ સર્વલોકોવાળું જગત જ દેહધારી માત્ર તથા અંતરાત્મા, પરમાત્મા વગેરે બધું જ