________________
૩૮૪
ગીતા દર્શન
ખરી ભક્તિ, ખરો વિવેક અને સત્યવૃત્તિનો સુમેળ હોવો જોઈએ.) હે કૌતેય ! સોગંદપૂર્વક તું જાણી લે કે મારો ભકત મારાથી જરાય જુદો નથી.
નોંધ : અહીં 'પ્રણશ્યતિ' એ પ્રયોગ આવ્યો છે, તે સંબંધે અગાઉ છઠ્ઠા અધ્યાયમાં જ્યારે એ ક્રિયાપદ આવેલું ત્યાં મટવું” અગર જુદા થવું” એવા ભાવનો અર્થ મુકાયો છે, તેમ અહીં પણ તે જ ભાવ બંધબેસતો લાગવાથી આપણે તે અર્થ રાખ્યો છે. બાકી તો અનુવાદમાં ચોખવટ આવી જ જાય છે. સુદુરાચારી પણ પોતાની બૂરાઈનો પશ્ચાત્તાપ થયા પછી સત્યશ્રદ્ધા જમાવીને મહાધર્માત્મા થઈ મોક્ષે ગયાનાં સંખ્યાબંધ ઉદાહરણો જૈનસૂત્રો અને વૈદિક ગ્રંથોમાં છે. ઈતિહાસ પણ મહામૂલી સાખ પૂરે છે. માત્ર વેગ બદલવો જોઈએ. "જે કમે સૂરા તે ધમ્મ સૂરા” થાય પછી બાકી શું રહે? માત્ર આત્માની કે સત્યની કે સિદ્ધાંતની તાલાવેલી એમના અંતરમાં જાગવી જોઈએ. પછી તો એ શકિતધર પુરુષો થોડા વખતમાં જ ઘણું મહાન કાર્ય સાધી નાખે છે. વળી ગીતા આગળ વધે છે અને શ્રીકૃષ્ણ મહાત્મા બોલે છે :
मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यांति परांगतिम् ।। ३२ ।। f૪ પુનર્વાહ્મUTI: પુથા મત્તા ગર્ષ તથા / अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥ ३३॥ मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥ ३४ ।। સ્ત્રીઓ, વૈશ્યો, અને શૂદ્રો, ને જે હો પાયોનિનાં; તેય પરંગતિ પામે, પાર્થ! આલંબતા મને. તો પછી ભકત રાજર્ષિ, શચિ દ્વિજોની વાત શી ? માટે અનિત્ય આ દુઃખી લોક પામી મને ભજ. ૩૩ ભકત પૂજક થા મારો, મન જોડી મને નમ; આત્મા યોજી હુંમાં રાચ્યો; મને જ એમ પામીશ. ૩૪ સ્ત્રી, વૈશ્ય, અને શૂદ્ર; અરે બીજાં પણ જે કોઈ કર્મના પરિણામે અધમ યોનિમાં-નરકાદિયોનિમાં કે પશુઆદિ યોનિમાં જન્મી) પાપ-યોનિનાં થયાં હોય, તે પણ હે (પૃથાના પુત્ર) પાર્થ ! મારું જ શરણું સ્વીકારીને મારી જ આશ્રય