________________
અઘ્યાય નવમો
समोऽहं सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः [ ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् || २९ ॥ अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक्
1
૩૮૩
|| ૩૦ ||
साधुरेव स मंतव्वः सम्यग्व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छांति निगच्छति 1 कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति || રૂ૧ || સમ હું સર્વ પ્રાણીમાં, વા'લો વે૨ી મને ન કો'; (પણ) મને જે ભકિતથી સેવે, તે હુંમાં, હુંય તે મહીં. ૨૯ મને અનન્ય ભાવે જો,સુદુરાચારીયે ભજે;
સાધુ જ માનવો તે તો, ને સત્યનિશ્ચયીય તે.
શીઘ્ર તે થાય ધર્માત્મા કાયમી શાન્તિ મેળવે; કોલથી જાણ કૌંતેય ! ભકત હુંથી ન ભિન્ન છે. ૩૧
૩૦
(અરે ભારત ! તું રખે સમજતો કે મારો તારા ઉપર જ વધુ પ્રેમ છે ને બીજા ઉપર નથી. ના, મને વસ્તુતઃ નથી કોઈ વહાલો કે નથી કોઈ દવલો. મારી તો દરેક ઉપર સમાન દ્રષ્ટિ છે. પણ જેમ સૂર્યનો પ્રકાશ ચોમેર પડવા છતાં ઘુવડ એને ન ઝીલે અથવા ચારે બાજુ છત કરાવીને કોઈ અંધારામાં ગોંધાઈ રહે, તેમાં ભલા સૂર્ય શું કરે ? તેમ) હું તો બધાં પ્રાણીઓ પર સમાન (રીતે પ્રકાશું ) છું, પણ (જે મારી સંમુખે જુએ છે, એટલે કે) જેઓ મને ભકિતથી ભજે છે, તેઓ જેમ હું વિષે છે, તેમ હું પણ તેઓ વિષે રહું છું.
(લાંબી વાત શું કહું ? પણ માની લે કે એક મોટો દુરાચારી છે, પરંતુ જો અનન્યભાવે મારી તરફ વળે, તો હું તો તેનેય મારી ગોદમાં બેસાડી લઉ, કારણ કે મારો કાયદો ગમે તેટલો કડક છે છતાં, તેમાં પ્રેમનો સાગર ઊછળે છે. હું દુરાચાર પ્રત્યે કડક છું, દુરાચારી પ્રત્યે નહિ. આથી) જો કોઈ મહાન દુરાચારી મને ભજે, તો તે પણ સાધુ જ માનવો જોઈએ. (એટલું જ નહીં, પણ એનો પુરુષાર્થ સાથે માર્ગે વળ્યો માટે ઐ) સત્યનિશ્ચયી જ છે (એમ માનવું જોઈએ.)
(આવા પ્રયત્નને પરિણામે તે જ પાછો ધર્માત્મા થાય છે, અને કાયમી શાન્તિ મેળવી રાકે છે. (સારાંશ, કે મારાં બારણાં સહુને માટે સદા ખુલ્લાં છે. માત્ર