SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ અધ્યાય નવમો शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबंधनैः संन्यासयोगयुक्तात्मा विमुत्को मामुपैष्यसि ।। २८ ।। પત્રો, પુષ્પો, ફળો, પાણી, આપે જે ભકિતથી મને, અર્પેલું તે હું ભકિતથી, આરોગું દાન્ત આત્મનું. ૨૬ જે તે ખાય, કરે છે તું, જે હોર્મ, જે તે દે વળી; તપે જે તપ, કૌન્તય ! તે મને અર્પ એમ તું. ૨૭ શુભાશુભ પરિણામી, છૂટીને કર્મ બંધથી, સંન્યાસયોગ યુકતાત્મા, મને પામીશ મુકત થૈ. ૨૮ (ભલા કૌન્તય ! ત્રીજા અધ્યાય-કર્મયોગ-માં મેં તને જે “જ્ઞાર્થાત ફર્મનોSચત્ર જોશોગચં વન્દનઃ “એ પરમ સૂત્રવચન કહ્યું હતું, તે યાદ છે કે? અને સર્વ યજ્ઞોનો ભોકતા હું જ છું, એ વાત તને ઉપલા ચોવીસમા શ્લોકમાં હું કહી ગયો છું, વળી જેમ બહાર હું છું, તેમ દેહધારીના દેહમાં પણ અધિયજ્ઞ હું જ છું, એટલે જે લોકો સ્થૂળ સમર્પણ કરે છે તે પણ દેહધારીમાં રહેલા મને જ મળે છે. પરંતુ હું ધૂળ પદાર્થ સામે જોતો નથી. હું તો કેવળ એટલું જ જોઉ કે એ પદાર્થો પાછળનો ભકિતભાવ કેવો છે અને એ પદાર્થ આપનાર અંતરંગ સંયમી છે કે કેમ, આ બે કસોટીમાંથી પસાર થયો એટલે પત્યું. પછી તે ગમે તે ચીજ આપે. તેની મને દરકાર નથી. હું પદાર્થભૂખ્યો નથી, ભાવભૂખ્યો છું. એટલે) ફળ, ફૂલ, પાંદડાં કે પાણી ગમે તે આપે ! (પણ આપનાર સંયમી હોય તો તે). દાત્ત-દમિતેન્દ્રિય-આત્માનું લાવેલું હું આરોગી લઉં છું. - (માટે જ તને કહું છું કે, હે કૌતેય ! તું જે કામ કરે, જે ખાય, જે હોમ, જે આપે, જે તપ આચરે, તે બધું મને અર્પણ કરતો થઈ જા. એમ કરવાથી તે સારાનરસાં (શુભાશુભ) ફળ દેનારા કર્મબંધોથી છૂટી જઈશ. અને આવા અંતરંગ ત્યાગરૂપ સંન્યાસ, સમભાવ, તથા કર્મ-કૌશલ્યરૂપ યોગથી જોડાયેલા આત્માવાળો તું, (સર્વ કર્મોથી અંતે) વિમુકત થઈ મને પામીશ. (એટલે કે તારો સંપૂર્ણ મોક્ષ થશે અને તે સંપૂર્ણ આત્મવાન બનીશ.) નોંધ : શબરીના બોર રામે હેતથી આરોગ્યાં હતાં. સુદામાના તાંદુલ અને વિદૂરની ભાજી શ્રીકૃષ્ણ પ્રેમથી સ્વીકારી હતી. રામ અને કૃષ્ણ અને વૈદિક ધર્મોના પ્રાણપુરુષ આત્માઓ છે. ભગવાન મહાવીરે ચંદનબાળાના ભાવછલકતા અડદબાકળાની ભિક્ષા હોંશથી લીધી હતી.
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy