________________
૩૭૮
यान्ति देवव्रता देवान् पितृनयान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥ २५ ॥ મને અનન્ય ભાવે જે, જનો ચિંતવતા ભજે;* તે નિત્ય યુકત ભકતોનું યોગક્ષેમ વહ્યા કરું. ૨૨ બીજાય દેવભકતો જે શ્રદ્ધાયુકત યજે વળી; તેય મને જ કૌંતેય લક્ષેઃ શૂન્યપણેય જે. + હું જ છું સર્વ યજ્ઞોનો, ભોકતા વળી પ્રભુય હું; ન જાણે તત્ત્વથી તેઓ, ને તેથી લપસી પડે, દેવવ્રતથી થતા દેવો, પિત્રી પિતૃવ્રતી થતા;
ભૂતભકતો થતા ભૂતો, ને મારા ભકત મરૂપ. ૨૫
૨૩
* અજોડ ને વિરાગી જે જનો મને ઉપાસતા);
+ કર્મકાંડ વડે યજે. (પાઠio)
ગીતા દર્શન
૨૪
મને જે લોકો અનન્ય ભાવે ચિંતવતા રહીને ભજ્યા કરે છે તેવા મારામાં નિત્ય પરોવાયેલા ભકતોનું યોગક્ષેમ હું જ વહ્યા કરું છું. (સારાંશ કે એને જે વસ્તુ જોઈતી હોય તે સહજ નિમિત્તે મળી જાય છે અને એની જરૂરિયાતની ચીજને કોઈ ચોરતું કે લઈ જતું નથી. એવું કુદરતી આંદોલન એની આસપાસ હોય છે. એટલે આજીવિકા ખાતર ધર્મ છોડવો એ તો કેવળ મૂર્ખાઈ છે. પાર્થ ! માની લે કે ધનને ખાત૨ કદાચ કોઈ ભકતે લક્ષ્મીજી નામનાં દેવીની ઉપાસના કરી અને બહુ પ્રયત્ને, પવિત્રતાથી, તે પ્રકારની વિધિ આચરતાં, તે પ્રાપ્ત થઈ, તોય એ લક્ષ્મીજી મારાથી (વિષ્ણુથી) કયાં જુદાં છે ? કુબેર પણ મારા હાથ તળે જ છે. જો મારી દયા ન હોય તો, એટલે કે આત્માનું તેજ ન હોય તો ઉપાસનાથી કશું જ વળતું નથી. એમ તો લક્ષ્મીની માળા સહુ ફેરવ્યા કરે, એમને શું મળવાનું ? બાહ્યસંપત્તિની પ્રાપ્તિ તો ફોતરાં જેવી અસાર છે. છતાંય મારું બીજ ન હોય તો ન ફળે. તોપછી હું જે સર્વ કંઈ દાતાર સર્વોપરિ આત્મારૂપ છું તે મને જ કાં ન ભજે ? એટલે જ ફરીથી કહું છું તે યાદ રાખ. ) બીજા પણ દેવના ભકતો જે દેવોને શ્રદ્ધાળુ થઈને પૂજે છે, તેય (પરંપરાએ તો) મને જ પૂજે છે, પણ (કૂવાના દેડકાની જેમ કર્મકાંડોમાં પુરાઈને પૂજે છે) એને ખરી સમજણ જ નથી કે હું જ સર્વ યજ્ઞોનો ભોકતા (કઈ રીતે તે આગળ કહી ગયો છું) અને પ્રભુ પણ હું છું. મને તેઓ તાત્ત્વિક રીતે (સાચા સ્વરૂપે) ઓળખતા જ નથી તેથી તેઓ કામભોગોની લાલચોમાં લપસી પડે છે.