SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અઘ્યાય નવમો ધર્મમાં રાચેલા તેઓ, ભોગના વાંચ્છુકો (રહે-ત્યાં લગી) જવું અને આવવું (એ રીતે ભવના ફેરા) કર્યા કરે છે. '' નોંધ : વૈદિક કર્મકાંડોમાં પણ પવિત્રતા તો જોઈએ જ. અગાઉના કાળમાં યાજ્ઞિક અને વૈદિક કર્મકાંડોમાં લોકો બહુ રાચેલા રહેતા, તે કાળની આ વાત છે. તેઓ સોમ વેલાનો રસ પીતા, આપણે એ સામરસનો અર્થ બ્રહ્મચર્યરસ જ લઈશું તો ઘટશે. કારણ કે જ્યાં જ્યાં શ્રુતિઓમાં સોમરસનું વર્ણન આવે છે ત્યાં "અમુક જ એ રસ પીને પચાવી શકતા " એમ અનેક રીતે ગૂઢ મહિમા ગવાયો છે. છેવટે ઘણીવાર અગાઉ કહેવાઈ ગયો તે જ આ બે શ્લોકોનો સાર છે કે "જે પવિત્રતા અને શ્રદ્ધાથી પ્રભુને સીધા મળી શકાય, તે પવિત્રતા અને શ્રદ્ધાનો ઉપયોગ જો વૈદિક કર્મકાંડો દ્વારા સ્વર્ગયાચના કરવામાં ક૨વાનો હોય, તો તેવાં વૈદિક કર્મકાંડોની જરૂર જ શી છે ? કારણ કે સ્વર્ગનું ફળ પણ પુણ્ય થકી જ મળવાનું છે અને પાપની શુદ્ધિ વિના પુણ્યપ્રાપ્તિ નથી, તો પાપશુદ્ધિ કરીને પુણ્યલોકના ભોગોને માગવા તેવા ભોગોની ઈચ્છા રાખી કર્મકાંડો કરવાં તે કરતાં પાપ દૂર કરી આત્મવિશુદ્ધિથી સીધો પ્રભુપ્રાપ્તિનો માર્ગ ગ્રહણ કરવો તે જ શું ખોટું? દેવભોગો પણ પ્રભુની કૃપાથી જ મળે છે તો એવા નાશવંત ભોગોને વાંચ્છવા તેના કરતાં પ્રભુ-પ્રાપ્તિના કાયમી સુખને જ કેમ ન ઈચ્છવું ?” કદાચ અહીં પ્રશ્ન થશે, આત્માના ભજનારને પણ ખાવું-પીવું અને શુદ્ધ વ્યવહારને લગતાં સાધનો તો જોઈશે જ ને ? તે માટે શું ઈચ્છા ન રાખવી ? શ્રીકૃષ્ણજી કહે છે : 'લાલસા ન રાખવી, માત્ર ઓછામાં ઓછી જરૂરિયાત રાખવી.’ એવી જરૂરિયાતો ધર્મને છોડયા વિના સહેજે મળી જ રહે છે. તે વિષે હવે તેઓ પોતે જ કહે છે : अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते || तेषां नित्यामियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।। २२ ।। येप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः । तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् || २३ || કારણ કે : अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रमुरेव च न तु माममिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ૩૭૭ (अनन्याश्च विक्ता मां-पाठां०) यजन्ते विधिपूर्वकम् । पाठां०) । || ૨૪ |
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy