________________
૩૭૬
ગીતા દર્શન
તપું છું, વળી વૃષ્ટિને નિરોધું છોડું છુંય હું;
હું જ અમૃત, મૃત્યુ તું, સત અસત હું જ છું. ૧૯ ગતિ હું, પોષક (સ્વામી હું), પ્રભુ હું, સાક્ષી હું, નિવાસ, શરણું, અને મિત્ર પણ હું જ છું. ઉત્પતિ હું, નાશનું ઠેકાણુ હું, ભંડાર હું અને અવિનાશી એવું બીજ (વિશ્વનું બીજ) પણ હું જ છું.
તપું છું ય હું. અને વૃષ્ટિને રોધું છું તથા છોડું છું પણ હું. હું જ અમૃત, હું જ મૃત્યુ, હું જ સત. હું જ અસત પણ છું.
નોંધ : જેમ વિકાસના કારણમાં પણ આત્મા છે તેમ પતનના કારણમાં પણ આત્મા જ છે. સત્યને પસંદ કરનાર જેમ આત્મા છે, તેમ અસતમાં રાચનાર પણ આત્મા જ છે. મૃત્યુનું દુઃખ પણ જીવને છે તેમ અમૃતમય સ્વભાવ પણ આત્માનો છે. એટલે જ કે એકમાં માત્ર જ્ઞાન છે, બીજામાં અજ્ઞાન છે. વૃષ્ટિને નિરોધું છું અને છોડું છું એનો અર્થ એ કે કુદરતી કાનૂનથી બધું કામ થાય છે અને એ કુદરતી કાનૂનમાં આત્માનું તેજ જ મુખ્યત્વે છે. विद्या मां सोमपाः पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते । ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्अश्नन्ति दिव्यानदिबि देवभोगान् ।। २० ॥ ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति | एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ॥ २१ ॥ ત્રિવેદી જે સોમપા પાપમુકત, પૂજી યશે સ્વર્ગ યાચે હું પાસે; પામી તેઓ પુણય સુરેન્દ્રલોક, દેવો કેરા ભોગવે દિવ્યભોગ. ૨૦. તે વિશાળ ભોગવી સ્વર્ગલોક, મૃત્યુલોકે પેસતા પુણ્યનાશે; વેદોકેરા ધર્મમાં એમ રાચ્યા, તે ભોગેચ્છુ “આવજા'ને જ પામે. ૨૧
હે પરંતપ ! ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદનાં કર્મ કરનારા ત્રિવેદી સોમ રસ પીનારા, પાપમુક્ત થયેલા તેઓ યજ્ઞ દ્વારા મને પૂજીને તમારી પાસે) સ્વર્ગને માગે છે. એટલે તેઓ પવિત્ર એવા દેવલોકને પામીને સ્વર્ગમાં (દવાના) દિવ્ય ભોગો ભોગવે છે. (પણ હે પાર્થ ! આત્મપ્રાપ્તિના સુખ આગળ એ સુખ કેટલું બધું તુચ્છ છે ! અને એવા ક્ષણિક સુખનું છેવટનું પરિણામ શું? તું જાણે છે? સાંભળ કહું?) તેઓ ઉપર કહેલા તે વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પણ પુણ્ય ખૂટે કે તુરત પાછા મૃત્યુલોકમાં પ્રવેશ કરે છે. (આમ બિચારા) વેદત્રયીના