________________
અધ્યાય નવમો
૩૭૫
પોતાના આત્મામાંથી નીકળી છે. પણ એની એને ખબર ભાગ્યે જ હોય છે.) અને (૨) જે લોકો અંતરાત્મારૂપ ગોવિંદને વળગી રહ્યા છે, એમને તો આવા યજ્ઞની જરૂર જ નથી, કારણ કે મૂળ રાજા હાથમાં આવી ગયા પછી હજૂરિયાની સિફારસ કોણ કરશે? નહિ જ. તેમ સર્વ જગતનો નિર્લેપ ધાતા-ધારણ કરનારો, પિતા અને દાદારૂ૫ આત્મા ભેટ્યા પછી આવા યજ્ઞ કરવાની અને જરૂર જ નહિ રહે તે સ્વાભાવિક છે. એટલે શ્રીકૃષ્ણગુરુને મન ધૂળ યજ્ઞની પણ તેમાં જેટલી સત્યતા કે સાત્ત્વિક્તા છે તેટલી કદર તો છે જ. તેઓ એ સાધનની છેક ઉપેક્ષા કરતા નથી, તેમ એ સાધનને જ જળોની જેમ વળગી રહેવાનું કહેતા નથી. મતલબ કે દ્રવ્યયજ્ઞો, એમને ક્ષમ્ય જ છે. પણ અહીં એ યાદ રાખવું જોઈએ કે ગીતાના યજ્ઞમાં ઘી અથવા બીજાં તેવાં દ્રવ્યો હોય છે. જો કે અગાઉ એ તો વિચારાઈ જ ગયું છે કે દ્રવ્યયજ્ઞમાં પણ ઈન્દ્રિયસંયમાદિ યજ્ઞો જ મુખ્ય છે. એટલે પશુયજ્ઞ કરે છે, તેમને તો ગીતાનો લગારે ટેકો નથી, ઊલટો વિરોધ જ છે. એ હવે ફરીફરીને કહેવાની જરૂર જ નથી.
પવિત્રમાં પવિત્ર જાણવા લાયક કોઈ ચીજ હોય તો તે કેવળ આત્મા જ છે એ બીના પણ ઉપર કહેવાઈ ગઈ.
પાઠાંતરમાં ચાર વેદો છે અને મૂળમાં ત્રણ વેદો છે, એટલે જો પાઠાંતરવાળી પ્રતિ મૂળ કરતાં પહેલાંની હોય તો પાછળથી કોઈ ગીતા-સંશોધકે અથર્વવેદ કાઢી નાખ્યો હોવો જોઈએ. કારણ કે ત્રણ વેદોનો જ ખરો મહિમા છે. અથર્વવેદમાં તો જાદુઈ અભિચાર મંત્રો જ ખૂબ આવે છે. અને જો પાઠાંતરવાળી પ્રતિ મૂળ કરતાં અર્વાચીન હોય તો અથર્વવેદની ઉત્પત્તિ એક જ છેલ્લા કાળમાં થયેલી હોવી જોઈએ. ગમે તેમ હો! પણ ગીતાકારને ત્રણ વેદો જ વધુ માન્ય છે એ તો આ જ અધ્યાયમાં હવે આવનાર વીસમા શ્લોક પરથી સહેજે સમજાશે.
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् । પ્રમઃ પ્રચ: સ્થાન નિધાનં નિમવ્યયમ્ || ૧૦ || तपाम्यहमहं वर्ष निगृहणाम्युत्सृजामि च । अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥ १९ ॥ ગતિ, સ્વામી, પ્રભુ, માસી, નિવાસ, શરણું, સખા; ઉત્પત્તિ, પ્રલયસ્થાન, નિધાન, બીજ અવ્યયી. ૧૮
* ઑ કાર શુદ્ધ છું જોય ચાર વેદોય હું જ છું. (પાઠo)