________________
૩૬
ગીતા દર્શન
नवमोऽध्यायः अध्याय नवमो श्रीकष्ण उवाच ।
इदं तु
ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ||१|| राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् | प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ||२|| अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप । अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ||३|| શ્રીકૃષ્ણ બોલ્યા :
પરં ગૂઢ કહું આ તો, ઈર્ષ્યાહીન તને, ખરે ! વિજ્ઞાનયુકત જે જ્ઞાન, જાણી છૂટે અશુભથી. ૧ વિદ્યાને ગુહ્યનો રાજા, છે આ પવિત્ર ઉત્તમ; પ્રત્યક્ષ ગમ્ય ને ધર્મ, આચર્યે રહેલું અક્ષય. ૨ આ ધર્મના અશ્રદ્ધાળુ, જે પુરુષો પરંતપ ! મને પામ્યા વિના તે તો, મૃત્યુ સંસારમાં ભમે. ૩
તું અસૂયા વિહોણો છો, માટે તને અનુભવવાળું પરંગૂઢ જ્ઞાન આપીશ, જે જાણીને તું અશુભથી-અકલ્યાણકર કર્મથી બચી જઈશ. એ જ્ઞાન, વિદ્યાઓમાં રાજા સમું છે તેમ ગૂઢ વસ્તુઓમાં પણ રાજા જેવું છે. વળી પવિત્ર છે, ઉત્તમ છે, પ્રત્યક્ષ અનુભવમાં આવે તેવું ધાર્મિક છે, આચરવામાં સહેલું અને અવિનાશી છે.
હે પરંતપ ! આ ધર્મને વિષે જેમને શ્રદ્ધા નથી, તેઓ મને ન પામતાં મૃત્યુવાળા સંસારમાર્ગમાં ભમ્યા કરે છે.
નોંધ : 'અનસૂય' વિશેષણ અર્જુનને હેતુપૂર્વક લગાડવામાં આવ્યું છે. જે દ્વેષીલો, ઈર્ષ્યાળુ અગર છિદ્ર જોનારો શિષ્ય કે સાધક હોય તેને ગુપ્ત જ્ઞાન પચતું નથી. એ મનુષ્ય સ્વભાવ છે કે જ્યાં ફાયદો વધુ દેખાય, અને ચોખ્ખો ફાયદો દેખાય ત્યાં ઝટ દોડે, તેમ અર્જુન શિષ્યને આકર્ષે તેવાં એ ગુપ્ત જ્ઞાનનાં વિશેષણો છે. અને વાત છે પણ તેમ જ. આધ્યાત્મિક જ્ઞાન એ સર્વોત્તમ પણ છે. આઘ્યાત્મિક