________________
IIIIIIIIIIIIIIIIIIIIIIII
ગીતા દર્શન
અધ્યાયનવમો
ઉપોદ્ઘાત પ્રથમના અધ્યાયોમાં સમત્વજ્ઞાન, કર્મકૌશલ્ય અને આત્માનો મહિમા હતો. પછીના અધ્યાયોમાં મારું આ મારું તે “મને એ પ્રયોગો વધુ આવવા લાગ્યા. ગત અધ્યાયથી હું પ્રયોગ શરૂ થયો છે. અહીંથી વાચક ગીતાનો ઝોક ઠામુકો ફરી જતો જોઈ શકશે.
(૧) જે શ્રીકૃષ્ણ પહેલાં એક સારથિ હતા, પછી (ર) જે શ્રીકૃષ્ણ એક પ્રેરક સન્મિત્ર બન્યા, ત્યારબાદ (૩) જે શ્રીકૃષ્ણ એક ગુરુ થયા અને (૪) ત્યાર પછી જે શ્રીકૃષ્ણ એક પરબ્રહ્મ લક્ષી એકનિષ્ઠયોગી બન્યા હતા તે જ શ્રીકૃષ્ણ હવે પોતે અક્ષર બ્રહ્મથી પણ અક્ષર બ્રહ્મ પરમાત્મા હોય એમ બોલવા લાગે છે. જગતમાં કોઈ પણ તત્ત્વ, પછી એ જડ હો કે ચેતન હો! પણ ત્યાં જે શિવ,સુંદર કે સત્ય, અગર સૌભાગ્ય, શુભ રસિકતા, ઓજસ, વીરતા કે વિભૂતિ નજરે ચડે ત્યાં પોતાનું તેજ છે એમ જ માનવું એમ અર્જુનના મન પર ઠસાવે છે.
વાસુદેવમય સર્વમ્' એ સૂત્રને અહી હું જ સર્વ કંઈ છું' એ રીતે નિરૂપે છે. નવમો, દશમો અને અગિયારમો એ ત્રણે અધ્યાયોમાં આ વાતનું પૂરેપૂરું સમર્થન છે. જે આપણે વિસ્તારથી આગળ જોઈશું.
આ વાંચીને સાધક ન મોહાય કે ન ભ્રમમાં પડે ! સાધકશિષ્યની શ્રદ્ધાને આકર્ષવાની એક સમર્થ સદ્ગુરુની આ એક અજોડ કળા છે. એ તો આપણે જોઈ જ ગયા છીએ કે અર્જુન માટે જ્ઞાન પછી શ્રદ્ધા નહિ, પણ શ્રદ્ધા પછી જ્ઞાન સહેલું હતું. કર્મકૌશલ્ય પછી ભકિત નહિ પણ ભક્તિ પછી કર્મકૌશલ્ય સહેલું હતું. હમેશાં ભકતહૃદયમાં વીરતાનો ખપ પડે, માથું મેલી કામ કરવાનો ખપ પડે, એ બધા ગુણો અર્જુનમાં હતા. નડતર માત્ર મનની ચંચળતાનું હતું અને તે ચંચળતા શ્રદ્ધા અને એકાગ્રતાથી જાય એમાં નવાઈ નહોતી. એવી શ્રદ્ધા અને શ્રીકૃષ્ણ પર જ હતી એટલે એ શ્રદ્ધા અને એકાગ્રતાને પોતા પરત્વે કેન્દ્રિત કરવાને માટે જેમ પોતાને