________________
૩૦
ગતા દર્શન
પ્રથમનું સ્વરૂપ ધ્યેય માત્ર છે. તે સ્વરૂપનું જ્યાં સંપૂર્ણ ભાન છે, ત્યાં સંસાર નથી, પુનર્જન્મ નથી, કશું નથી.
બીજા સ્વરૂપમાં જીવ પોતે કર્મસંગી બનવાથી ઊપજે છે.' 'મને છે” એવા પર્યાયોનો કર્તા-ભોકતાપણાનો આસ્વાદ જાણે છે, છતાં તેના મૂળસ્વરૂપને સાવ કદી વિસરી જતો નથી. એ સાંભરણું એ સ્થિર ભાવ અથવા સ્વભાવઃ આ ભાવને આધ્યાત્મિક સંજ્ઞાથી ઓળખાવવામાં આવે છે. દેહધારીમાં એ અધિયજ્ઞ રૂપે રહે છે. આજ સ્વરૂપે શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞ-યુકતયોગી-પણે ગીતામાં ઝબકી રહ્યા છે. એમનું જે પરંધામ છે તે તો અક્ષર જ છે, જે ઉપર કહ્યું તે એટલે કે એ તો માત્ર ધ્યેયરૂપ છે, બીજા શબ્દોમાં કહીએ તો સંસાર સાથે કશાય સંબંધવાળું નહિ તે અક્ષર પણ સંસાર સાથે સંબંધવાળું હોવા છતાંય નિર્લેપ સ્વરૂપ તે સ્વભાવ. એને આત્મજ્ઞાન કહો કે અધિયજ્ઞ કહો તે સરખું જ છે. આ સ્વરૂપ પરથી અવતારવાદની કલ્પના અને સંસારનાં ઉત્પત્તિ, લય અને સ્થિતિવાળાં તત્ત્વોના અધિષ્ઠાતા તરીકે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કલ્પના આવી રહે છે.
ત્રીજું સ્વરૂપ અધિભૂત અને અધિદેવતનું મિશ્રણ છે. ભૂત અને જીવનો સંગમ. આ સંગમરૂપ કાર્યનું નામ વિસર્ગ છે અને એ બને તત્ત્વોને છૂટાં પાડીએ તો એક અધિભૂત અને બીજું અધિદૈવત પણ કહેવાય. આ બે તત્ત્વોનું મૂળ તે શુદ્ધ આત્માને તાબે રહેલી બે પ્રકૃતિઓ. એક અપરા અને બીજી પરા. પ્રથમની પ્રકૃતિ આત્માથી બિલકુલ નિરાળી છે. બીજી સાવ નિરાળી નથી. પણ આ બેય છૂટાં રૂપે ત્યારે જ ઓળખાય છે કે જ્યારે જીવ અધ્યાત્મ ભૂમિકા-સ્વભાવ ભાનને પ્રાપ્ત કરે છે. આવું ભેદ-વિજ્ઞાન તે જ સાચું વિજ્ઞાન સહિત જ્ઞાન. પણ છેવટે તો અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ સિવાય છૂટકો જ નથી ત્યારે જ એ બેય છેક છૂટી પડીને, એક સ્વરૂપ મોક્ષ પામે અને બીજી જડમાં મૂળ જડપણે વિલીન થાય.
અંતકાળ લગી જો સ્વભાવ જ જ્ઞાન રહે, તો આ અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ અવશ્ય થાય. એ અક્ષર બ્રહ્મ એ જ પરમપદ, તે જ દિવ્ય પરમ પુરુષ. તે જ અપુનર્જન્મા ગતિ-અથવા મોક્ષગતિ. જૈનસૂત્રો પ્રમાણે તે જ મુકિતશિલાપરનું સિદ્ધિ સ્થાન. એને જ વેદોમાં અક્ષર શબ્દની સંજ્ઞાથી ઓળખાવ્યો છે. અરૂપી પદાર્થોમાં આકાશ સહુથી સૂક્ષ્મ છે, પણ તે સૂક્ષ્મથી પણ એ જ સૂક્ષ્મ છે. અને પરમ અરૂપી હોઈને શબ્દ કે માનસિક આંદોલનો પણ એને સ્પર્શી શકતાં નથી. તે અવાચ્ય છે, અગોચર છે, માત્ર વીતરાગ ભાવ પામ્યા પછી જ અનુભવગમ્ય છે. સૌના