________________
વ્યાય આઠમ
ણે પણ છે એટલે કે જીવનમાં જ્ઞાનને ઉતારે છે. માત્ર સૂત્રોને જ કંઠસ્થ કરી ટેથી ભપકાબંધ બોલતો જ નથી પણ સત્યમય જીવન જીવે છે. આમ બાહ્ય રીતે ચોકો એને વેદવેત્તા, દાની, તપસ્વી કે અગ્નિહોત્રી કહે કે ન કહે; કર્મકાંડી કહે કે
કહે પણ ખરા અર્થમાં તો તે બધાયનો શિછત્ર છે. સમુદ્રમાં જેમ સરિતાઓ માય છે પણ સરિતામાં સમુદ્ર નથી સમાતો, તેમ આત્મયોગમાં તપ, દાન, યજ્ઞ ને વેદવિદ્યા સમાય છે, પણ એવા એકાદ સાધન માત્રમાં કંઈ આત્મયોગ નથી માઈ જતો.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविधायां । योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
अक्षरब्रह्मयोगो नाम अष्टमोऽध्यायः ||८||
૩૫૯
‘ૐ તત્ તસ્’ એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી, ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં અક્ષરબ્રહ્મયોગ નામનો આઠમો અઘ્યાય પૂરો થયો.
您
આઠમા અઘ્યાયનો ઉપસંહાર
સાતમા અઘ્યાયમાં જ્ઞાનવિજ્ઞાનનો વિષય વિચારાઈ ગયો એટલે સહેજે પ્રશ્ન થયો કે એ બધું જ્યાંથી છે, જેના થકી છે તે મૂળ તત્ત્વ કયું ? એ મૂળ તત્ત્વનું નિરૂપણ મુખ્યત્વે હોવાથી આ અઘ્યાયનું નામ અક્ષરબ્રહ્મયોગ' પસંદ કરવામાં આવ્યું છે, અને તે ઉચિત જ છે એવી આપણને ખાતરી થઈ ચૂકી છે.
"પાંચ તત્ત્વ અને ત્રણ ગુણ રૂપી સૂતરના મસાલાથી માનવીની શરીરરૂપી ચાદર વણાઈ છે,” એમ કબીર સાહેબ બોલ્યા છે, તેમ ગત અઘ્યાયમાં અપરાપ્રકૃતિના મસાલાથી અને જીવરૂપ પરા પ્રકૃતિના યોગથી ભૂતમાત્ર શરીરીનાં ઉત્પત્તિ વિનાશ થાય છે એટલી વાત તો આપી દીધી. અહીં એ વાતનો સુંદર વિસ્તાર છે. હવે આપણે આ અઘ્યાયમાં જે વિચારી ગયા છીએ તેને જ સંક્ષેપમાં ફરીને યાદ કરી લઈએ.
આત્માનાં ત્રણ સ્વરૂપ લઈએ તો આમ લઈ શકાય : (૧) અક્ષર સ્વરૂપ, (૨) અઘ્યાત્મ સ્વરૂપ અને (૩) કર્મસંગી જીવસ્વરૂપ.