SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ગીતા દર્શન ગતિ પામે એવી એકાંતિક માન્યતા બાંધી ન લેવી જોઈએ. જીવતાં ગમે તેમ વર્તે તેટલા માત્રથી અને મરતી વેળા રામનું નામ સંભારે કે સાંભળે કે તુલસીનું પાન મુખમાં મૂકે તેટલા માત્રથી કાંઈ સદ્ગતિ થાય નહિ! वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रतिष्ठम् । अत्येति तत्सर्वमिदं विदित्वा યોગ પર સ્થાનમુવતિ પાડઘમ / ૨૮ || વેદો વિષે ને તપ, દાન, યશે, બતાવ્યું છે જે ફળ પpય કે, આ જાણી યોગી સહુ તે વટાવે, ને મેળવે ઉત્તમ આદિ સ્થાન. ૨૮ (હે ભારત! માટે જ મેં વેદ, તપ, દાન અને યજ્ઞના ફળ પરત્વે તને નથી પ્રેર્યો કારણ કે એનું ફળ તો યોગથી સહેજે સાંપડે છે, પણ એ માર્ગે તો આત્મયોગ મળે અને ન પણ મળે. માટે જ ફરીને કહું છું કે, યોગી પુરુષ (આ રહસ્યને) જાણીને વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનોમાં જે પુણ્યફળ બતાવ્યું છે, તે સર્વને વટાવીને સૌથી ઉચ્ચ કોટિનું પરંધામ (આત્મલક્ષ્ય કાયમ રાખી) મેળવી લે છે. નોંધ: આનો અર્થ એ નથી કે કોઈ વેદ, યજ્ઞ, તપ કે દાન તરફ ઉપેક્ષા જ કરે. પણ જેઓ એકાંતે એ સાધનને પકડી મૂળ આત્મલક્ષ્ય ચૂકી જ જાય છે, તેમને આ ચીમકી છે. ખરો યોગી સાચા અર્થમાં તો યજ્ઞ, દાની, તપસ્વી અને વેદવેત્તા હોય જ છે, પણ એનાં યજ્ઞ, દાન, તપ અને વેદ કેવા પ્રકારનાં હોય છે તે વાત અગાઉ બીજા ત્રીજા અધ્યાયમાં કહેવાઈ ચૂકી છે. મતલબ કે તે વેદશ્રુતિ પરથી પશુયજ્ઞ નથી કરતો પણ ધર્મમય પુરુષાર્થ અને લોકસેવારૂપી યજ્ઞ જરૂર કરે છે. પોતાની અંતરની પશુતા હોમી, માનવતાને એ જરૂર ઉજાળે છે. એ સખાવત જરૂર કરે છે, પણ તે હૃદયની શુદ્ધિ માટે, નહિ કે અભિમાનને પોષવા કે બદલાની ઇચ્છાએ. માત્ર કર્તવ્ય માનીને તે જગતને બધું આપી દે છે. જગતના પ્રભુ-આત્માને ખાતર એ સર્વ સમર્પણ કરે છે, એ જ રીતે વાસનાને વિદારવા એ તપ જરૂર કરે છે, પણ માપ રાખીને. ક્રોઘપૂર્વક તામસી તપ કે આસકિત રાખીને એ તપ નથી કરતો. એ મુખથી ભણે છે પણ સાથે સાથે
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy