________________
અધ્યાય આઠમો
૩૫૭.
'બિને બીજા વડે પુનર્જન્મ પમાય છે. (અર્થાત્ જ્ઞાનથી મોક્ષ અને અજ્ઞાનથી સંસાર
માય છે.)
આ હે પાર્થ! આ બે માર્ગને જાણતો છતો યોગી કોઈ (કયાંક) મોહતો જ નથી માટે જ કહું છું કે, હે અર્જુન ! તું સર્વ કાળે યોગયુક્ત થા.
નોંધ : અમુક જૈન આચાર્યો કાળદ્રવ્યને સ્વતંત્ર પદાર્થ નથી માનતા, તે એ કષ્ટિએ કે સર્વ ક્ષેત્રમાં કાળદ્રવ્ય નથી, છતાં જૈનસૂત્રોમાં કાળદ્રવ્યનું જ્ઞાન છે ખરું, કોણ સૂર્ય-ચંદ્રની ગતિ અને પદાર્થ તથા વ્યક્તિના ઊપજવા-વિણસવા અને રહેવા ' પર એનો આધાર છે. ત્યાં પણ એમ કહેવામાં આવ્યું છે ખરું કે અમુક ક્ષેત્રે અમુક
મળે જ મોક્ષ મળે. પરંતુ એક મહાવિદેહ નામનું ક્ષેત્ર છે, તે સ્થળે સદાય ચોથો મારો-સુંદર કાળ-હોય છે. એટલે ત્યાં કોઈ કાળે મોક્ષને પ્રતિબંધ નથી, જ્યારે બીજાં ભરત ઐરવ્રતાદિ ક્ષેત્રોમાં તો અમુક કાળ સિવાય-પ્રાયઃ અપવાદ સિવાય-મોક્ષ નથી. પરંતુ આ બધુંય અનુભવ ગમ્ય છે. વસ્તુતઃ કોઈપણ ક્ષેત્રને કે કોઈપણ કાળને એકલો મોક્ષનો ઈજારો પણ ન હોય. ખરી વાત તો એ છે કે એ વાળ અને એ ક્ષેત્ર આ દેહમાં જ છે અને મોક્ષધામ અને પરંબ્રહ્મ પણ દેહમાં જ છે. સતત યુકતયોગપણું જોઈએ.
મરતી વેળા જીવ બ્રહ્મધ્રમાંથી જાય તો જરૂર મોક્ષ થાય, ગરદનના ઉપલા કોઈ ભાગમાંથી જાય તો દેવગતિ થાય, એથી નીચેથી જાય તો મનુષ્યગતિ થાય,
એથી પણ નીચેના ભાગમાંથી જાય તો તિર્યંચગતિ થાય અને એથી પણ નીચેના આ ભાગમાંથી જાય તો નરક ગતિ થાય. આવું અનેક પ્રકારનું કથન હોય છે પણ તે સુધ્ધાં એકાંતે યથાર્થ નથી. - જ્ઞાની પુરુષોએ આ બધું કોઈને કોઈ હેતુપૂર્વક કહ્યું હોય છે એમાં સંશય નથી.' યથાર્થ તત્ત્વ ગમે તે હોય પણ જે નિત્ય નિરંતર આત્મયોગી છે, તે મરે છે ત્યારે યોગ્ય કાળ, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય સ્થાન અને ભાવ પણ યોગ્ય જ કુદરતી રીતે આવી રહે છે. એનું કારણ એનો કાયમી અભ્યાસ છે. જેમ હમેશાં ટેવાયેલો અંધ પોતાનો રસ્તો બરાબર ખોળી લે છે. વળી ઉપયોગ ન હોય તોય જે જાતની ટેવ હોય છે તે કામ ઇન્દ્રિયો અને મન સહેજે કરી નાખે છે.
માટે જેને મરણ વખતે સારી સ્થિતિ જોઈએ, તેણે જીવતાં પણ તેવી સ્થિતિ નિત્ય નિરંતર સાધી લેવી જોઈએ, આટલો જ ગીતાકારનો કહેવાનો મુખ્ય આશય છે. એટલે શુક્લ પક્ષમાં મરે તે ઊંચી ગતિ જ પામે અને કૃષ્ણ પક્ષમાં મરે તે નીચી