________________
અધ્યાય આઠમો
૩૫૫
શકિત ઘણી નથી. જ્યારે બીજી શકિતમાં સંખ્યાબળ નથી. તે માત્ર એક જ તત્ત્વ છે પરંતુ તેમાં શક્તિ અનંત છે, કારણ કે સંસાર સંબંધ તેને લોપી શક્તો નથી. આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે જે શકિત એક સત્યાર્થીમાં હોય છે તે કરોડ અસત્યાર્થીમાં નથી હોતી, અને તેથી જ સંખ્યાબળને છેવટે તો સિદ્ધાંત પાસે નમવું જ પડે છે. વળી ખરી રીતે જોઈએ તો સંખ્યામાં પણ જે ચૈતન્ય શકિતવાળું દેખાય છે, જે થોડું ઘણું પણ સત્યાર્થીપણું જણાય છે તે પણ એ પરે આત્માના જ્ઞાનને જ આભારી છે. માટે તેને લીધે જ આ બધું છે એમ પણ કહેવાય. પરંતુ આનો અર્થ એ નહિ કે એ પરંતત્ત્વ આ બધું પેદા કર્યું છે અથવા એક પ્રભુ એવા છે કે જે સર્વવ્યાપક છે. એનો અર્થ એટલો જ કે જે પર બ્રહ્મ પુરુષોત્તમરૂપ છે તે જ્ઞાન સ્વરૂપ જ છે અને જ્ઞાનની અવધિ હોઈ શકે નહિ. દેહી માત્રમાં જ્ઞાનનો ઓછો વધતો પ્રકાશ રાજે જ છે, માટે જ્ઞાન દષ્ટિએ જ્ઞાનને જો આત્મા અગર પ્રભુ કહીએ તો તે સર્વવ્યાપક છે અને આ બધું સૃષ્ટિતંત્ર કર્મના કાનૂનથી તાલબદ્ધ ચાલે છે, તેમાં જ્ઞાન જ કારણભૂત છે. જીવમાં પણ જ્ઞાન છે. તો જ જગતમાં તે ભાગ લઈ શકે, ભલે પછી એ જ્ઞાન મોહાવરણને લીધે અજ્ઞાનરૂપ હોય !
આ રીતે બરાબર સુમેળ મળી રહે છે. એ પરંધામ અનન્ય ભક્તિથી મળે છે એ તો સમજાયું. હવે શ્રીકૃષ્ણ મુખે એક નવી વાત કહેવાય છે:
यत्र काले त्वनावृत्तिमावृतिं चैव योगिनः । प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षम ॥ २३ ॥ अग्निोतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् । तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥ २४ ॥ धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् । तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते || ર૫ II शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते । एकया यात्यनावृत्तिमन्ययाऽऽवर्तते पुनः ॥ २६ ॥ नैते सृती पार्थ जानन योगी मुह्यति कश्चन । તમાત સર્વેy #ાપુ યો યુવત્તો મવાનુન || ર૭ II જે કાળમાં મરી યોગી પામે જન્મ અજન્મને; તે કાળનેય ભાખીશ, ભરત શ્રેષ્ઠ ! હું હવે. ૨૩