________________
અધ્યાય આઠમો
૩૫૩
અક્ષર (નામે સંબોધાય છે) કહ્યો છે, અને તેને જ પરંગતિ પણ કહેવાય છે. મારું કરંધામ પણ એ જ છે અને એને પામ્યા પછી ફરી ફેરા ફરવાપણું (એટલે કે
પુનર્જન્મ કરવાપણું) રહેતું નથી. છે. અહો પાર્થ ! તે પરંપુરુષની પ્રાપ્તિ અનન્ય ભકિતથી અવશ્ય) થાય છે. જેની અંદર સહુ ભૂત રહ્યાં છે, જેના વડે આ બધું વિસ્તર્યું છે. (અથવા જેની અંદર સર્વ ભૂતો રહ્યાં છે, જ્યાં બધુંય પ્રતિષ્ઠિત છે.) છે કે નોંધ : જૈનસૂત્રોમાં પણ દેવોનાં મોટાં આયુષ્ય બતાવવા ખાતર મહાન રૂપકો કે મૂકવામાં આવ્યાં છે, દા.ત. જુગલિયા નામના મનુષ્યોના વાળ ખૂબ બારીક હોય
છે, તેને કચરી કચરીને એક મહાકૂવામાં ભર્યા હોય ને તેમાંથી સો વર્ષે માત્ર એકજ બાળ કાઢતાં કાઢતાં કૂવો પૂરો થાય, તે કાળ કરતાંય અસંખ્યાતગણાં દેવાયુષ્ય હોય
છે અને દેવોની ક્ષણ એટલે અહીંનાં હજારો વર્ષ. આમ અથાગ કાળનું આયુષ્ય છે છતાંય તેનો અંત તો ખરો જ. એટલા કાળ લગી મહાવૈભવ ભોગવ્યો હોય છતાંય મોત આવે, ત્યારે એ દેવેન્દ્રને લાગે કે અહા ! મેં તો માત્ર પૂરું રસચટકુંય ન લીધું ! મતલબ કે સાંસારિક સુખભવોની પરાકાષ્ઠા અને તે પણ અથાગ કાળ લગી હોવા છતાં દેવોની આ દુર્દશા છે તો પછી મનુષ્યના ભોગ અને સ્વલ્પ આયુષ્ય એની આગળ શી વિસાતમાં! આમ વિચારવાથી પણ મનુષ્ય સાંસારિક લાલચને વશ ન થાય કે તેથી ચેતતો રહે તો તે વિચાર ખૂબ ઉપયોગી છે. - બ્રહ્મદેવનાં રાત્રિદિન જાણવાનો હેતુ એ જ કે બ્રહ્મદેવ દેવેન્દ્ર હોય તો એને પણ મૃત્યુ હોય જ, એમ જાણીને વૈરાગ્યમય રહે તે જ જ્ઞાની, એમશ્રીકૃષ્ણગુરુ કહેવા માગે છે.
બ્રહ્મલોકનો દેવેન્દ્ર તે જ બ્રહ્મા. સૃષ્ટિકર્તા તરીકે એક પ્રજાપતિ તરીકેની એને વિશે કલ્પના કરવામાં આવી છે. કલ્પના સ્વયંભૂ છે (પોતાની મેળે થાય છે,) માટે એનું નામ સ્વયંભૂ પણ છે. સંહિતા અને પુરાણોમાં હિરણ્યગર્ભા તરીકે પણ ઓળખાવાય છે. પર અક્ષરબ્રહ્મને સૃષ્ટિકર્તાની ભાંજગડમાં નથી નાખવામાં આવતા. પણ આમને નાખ્યા છે તે રૂપક છે. કારણ કે કલ્પના સૃષ્ટિનો મૂળ કર્તા પ્રભુ છે. તે દષ્ટિએ સૃષ્ટિકર્તા પ્રભુ ભલે ગણાય, વસ્તુતઃ તે પ્રપંચ માત્રથી ભિન્ન છે. તે પર અક્ષરતત્ત્વને સંસાર સાથે કશું લાગતું વળગતું નથી. ગીતાએ પણ પાંચમા અધ્યાયમાં એ જ વાત કરી.