________________
અધ્યાય આઠમો
૩૪૫
છતાં શ્રીકૃષ્ણગુરુ એ પરે પુરુષની ઓળખાણ આપે છે કે જેથી કોઈ ખોટે રસ્તે ન ચડી જાય!
कविं पुराणमनुशासितारम् - अणोरणियांसमनुस्मरेद्यः । सर्वस्य धातारमचिन्त्यरूपम्- आदित्यवर्णं तमसः परस्तात्॥९॥
प्रयाणकाले मनसाऽचलेनभक्त्या युक्तो योगबलेन चैव । भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यकસ તે પર પુરુષમુતિ રિવ્યમ્ || ૧૦ || સર્વસ, પુરાતન ને નિયંતા, આધાર સૌનો સ્વરૂપે અચિત્ય; તમસથી છેટો રવિશો પ્રકાશી, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ અનુસ્મરે જે. ૯ પ્રયાણકાલે સ્થિર ચિત્ત રાખી, ભકિત તથા યોગ બળે કરીને; ભૂકુટિ વચ્ચે ઠીક પ્રાણ રોકી;
પામે પર દિવ્ય પુરુષને તે. ૧૦ (હે પાર્થ ! સાંભળ, હવે હું દિવ્ય પુરુષને શબ્દદ્વારા ઓળખાવું છું. જો કે એનું સ્વરૂપ ઇન્દ્રિયોથી અચિંત્ય છે એટલે શબ્દથી તો ખરા સ્વરૂપે કેમ જ ઓળખાય? છતાં હું જે શબ્દ બોલું છું એનું મુખ્ય કેન્દ્ર ત્યાં છે. એટલે એ શબ્દમાં પણ એવો પ્રભાવ હશે કે જે સાધકમાં રહેલા એ પરંપુરુષ તરફ જવાની સાધકને પ્રેરણા આપી શકશે. જેમ સાકર” નામ લેતાં જ મોંમાં પાણી છૂટે છે તેમ.) એ પુરુષ સર્વજ્ઞ (એનાથી કોઈ જ્ઞાનવિજ્ઞાન અજાણ નથી એવો) છે. અનાદિ અનંત છે. (કોઈ દિવસ એ નહતો એમ નહિ, સદાકાળ છે, છે અને છે.) વળી જગતમાં જે કર્મકાનૂનને લીધે જગતનાં સર્વ બળો નિયમબદ્ધ કામ કરી રહ્યાં છે, તેમાં પણ જે કંઈ પ્રભાવ દેખાય છે, તે એનો છે. માટે એ નિયંતા છે. (જીવ-અજીવ) સૌના આધારરૂપ છે. અજ્ઞાનરૂપી અધંકારથી હંમેશાં પેલે પાર રવિની જેમ પ્રકાશી રહેલ છે, અને (આકાશ અરૂપી અને સૂક્ષ્મ છે. છતાં એ તો એનાથી પણ સૂક્ષ્મ એટલે) સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. એવું જે નિરંતર સ્મરણ કરતો કરતો (છેવટને કાળે પણ