________________
પરિશિષ્ટ
૬૮૯
ઈદનો તહેવાર તેઓ આ રીતે જ ઊજવે છે તેનું મૂળ શું છે અને આજે રૂઢિએ કેવું અનિચ્છનીય રૂપ લીધું છે તે આ પરથી વાચક કળી શકશે.
ગીતાના યજ્ઞ વચ્ચે અને જૂના કરારના યજ્ઞ વચ્ચે સ્થૂળ રીતે ઘણો જ ફેર છે. યજ્ઞ ઉપર તો બન્ને ભાર આપે છે. ગીતા તો અયજ્ઞનું આ લોક કે પરલોકમાં સ્થાન જ નથી એમ કહે છે (૪-૩૧). યજ્ઞાર્થે કર્મ નથી કરાતાં ત્યાં જ લોકબંધન થાય છે (૪-૩૧), આચરેલું કર્મ વિલય પામે છે (૪-૨૩). પણ અન્નયજ્ઞ કરતાં ઈન્દ્રિયોમયજ્ઞ સારો છે. અને ઈન્દ્રિયહોમાદિ યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ સારો છે, એમ કહે છે (૪-૩૩). એટલે એ યજ્ઞનો સીધો અર્થ ધર્મમય પુરુષાર્થ અથવા અર્પણતા જ થાય છે.
મનુષ્ય એકદમ સંપૂર્ણ અર્પણતા કે ત્યાગ ન કરી શકે તે માટે આ યજ્ઞ અને ત્યાગનું પગથિયું છે. ગીતાના યજ્ઞમાં જૈન ધર્મની અહિંસાની સુંદર છાપ છે. એટલે વૈદિકશ્રુતિઓમાંથી જે બ્રાહ્મણો સપશુ યજ્ઞનો અર્થ કાઢે છે એમને તો ગીતાએ બોલતા બંધ કરી દીધા છે. ઉપરાંત વેદજ્ઞાની ખરો કોણ? તે સ્વરૂપ (૧૫-૧) બતાવ્યું છે. અને અર્જુનને વેદશ્રુતિઓની સ્વર્ગદાયકક્રિયાઓમાં ન ફસાતાં એ જાળમાંથી બહાર નીકળવાની ઠેર ઠેર પ્રેરણા આપી છે (૨-૪૨૪૬ તથા ૯-૨૦૨૧). કુરાને આ યજ્ઞને સ્થાને નિમાજ અને જકાતનું અને નવા કરારમાં પ્રાર્થના તથા સમર્પણાનું મહત્ત્વ સમજાવ્યું છે. જો કે મહાત્મા મોઝીસમુસા-ને જે કરાર મળ્યો છે તેમાં પણ પ્રથમ કરતાં તો વિકાસ નજરે પડે છે જ; જે નીચે બતાવેલ છે.
(સિવાય પર્વતના શિખર પર યહોવાહે હજરત મુસાને પહેલાના (શ્રીકૃષ્ણ ગુરુ પ્રભુભાવે કહે છે : ) જેવી બે શીલાપાટી ઉપર નવી મારામાં મન જોડ, મારો ભકત વાતો કરી છે તે આ :-)
થા, મને પૂજ, મને નમ, એમ મારામાં "યહોવાહ સિવાય બીજા દેવને ન માન.” પરાયણ થઈને આત્માને જોડીને તું "બીજા દેવનું નિવેદ્ય ન ખા." (નિર્ગમન મને પામીશ. (૯-૩૪) પ્રકરણ ૩૪-૧૪ અને ૧૫.).
(ધર્મમય) યજ્ઞની પ્રસાદી ખાઈને સંતો પાપથી છૂટે છે. (૩-૧૩).