________________
ઉપસંહાર
૬૬૭
કાર્ય કારણ કર્તુત્વે, હેતુ પ્રકૃતિ માનવી;
સુખ દુઃખો તણાભોગે, હેતુ પુરુષ માનવો. (૧૩-૨૦) પણ તું કે તે નવાં વૈરોની પરંપરામાં ન પડી જાઓ; તે ખાતર હું સમતા સાધવાનું તને કહી રહ્યો છું. આથી આગળ જઉ તો આત્મલક્ષની સીમા ચૂકી જવાય! કારણ કે –
કર્મે આસકત અજ્ઞોનો, બુદ્ધિભેદ ન પાડવો;
આચરી યુકત જ્ઞાનીએ, સૌ કર્મો અચરાવવાં.(૨-૨૬) તું પણ આ સૂત્ર યાદ રાખી; મનમાં તેના પ્રત્યે વૈર પરંપરાનાં બીજરૂપી ઊંડો કાંટો છે, તે કાઢી નાખ. અને એની મૂળ પ્રકૃતિ સુધરે તેનું ઉદાર દષ્ટિબિંદુ રાખ. કારણ કે એ સુદ્ધાં બીચારો પ્રકૃતિની કાષ્ઠપૂતળી બન્યો છે. આ દષ્ટિએ જ હું કહું છું
કિ
આત્માથી તારવો આત્મા, આત્માને ન ડૂબાડવો
આત્મા જ બંધુ આત્માનો, શત્રુ આત્મા જ આત્મનો. (૧-૫) બાકી તો તે જોયું ને કે બધા હણાઈ ચૂક્યા છે. માત્ર સવ્યસાચિત્ તું તો નિમિત્ત છો.
પણ મોટા હાથવાળા ! એકવાત યાદ રાખો કે પૂર્વ કર્મ તારે વેદીને દૂર કરવાનું છે. નવેસરથી પ્રકૃતિનું ઘડતર બદલવા માટે હવેથી એવો પ્રયત્ન કરવાનો છે કે છેવટે ભૂત પ્રકૃતિથી તારો સંપૂર્ણ મોક્ષ જ થાય !”
ભારત ! તું સમજ્યો ને ! બીજા શબ્દોમાં કહું તો સંચિત અને પ્રારબ્ધને સમભાવે વેદી કામક્રોધના આવેગોને મરણ પહેલાં જ સહી લે, એ આવેશને વશ ન થા.
વિષયો ચિંતવે તેને, વિષયાસકિત જન્મતી; કામ, આસકિતથી જન્મ, કામથી ક્રોધ જન્મતો. (૨-૨) ક્રોઘથી થાય સંમોહ, સંમોહે સ્મૃતિવિભ્રમ, નાસે બુદ્ધિ સ્મૃતિભ્રંશે, બુદ્ધિનાશે જ મૃત્યુ છે. (૨-૬૩) જે ભાવ સેવીને માણસ મરતી વેળા દેહ છોડે છે, તે ફરી જન્મ ધરી તે જ ભાવને પામે છે :